SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ संखेज्जा अक्खरा-जाव-चरण-करणपरूवणा आघविज्जति । से तं णायाधम्मकहाओ । सूत्र १४१।। પ્રાપ્ત કરે છે. તેનું વર્ણન, પૂર્વોક્ત એ બધા વિષયેનું તથા એજ પ્રકારના અન્ય વિષયનું પણ આ અંગમાં વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે. જ્ઞાતધર્મકથામાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગદ્વારે છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટક છે. સંખ્યાત ગ્લૅકે છે, સંખ્યાત નિર્યુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અંગની અપેક્ષાએ આ જ્ઞાતધર્મકથાંગ છઠ્ઠ અંગ છે. તેમાં બે થતસ્કો છે, પહેલા શ્રતસ્કંધમાં ઓગણીસ અધ્યયને છે, તે અધ્યયને સંક્ષિપ્તમાં બે પ્રકારના છે, પ્રકારે આ પ્રમાણે. તેમાં ચરિત્ર આદિ ૫ મેધકુમાર આદિના સત્ય ઉદાહરણે છે. ભવ્ય જીવોને બોધ આપવાને માટે કલિપત ઉદાહરણ પણ છે. ધર્મકથાના દસ વર્ગ છે. તેમાં પ્રત્યેક ધર્મકથામાં પાંચ પાંચ આખ્યાયિકાઓ છે. પ્રત્યેક આખ્યાયિકામાં ૫૦૦૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે. પ્રત્યેક ઉપાખ્યાયિકામાં ૫૦૦૫૦૦ આખ્યાયિકા-ઉપા ખ્યાયિકાઓ છે. આ રીતે પૂર્વાપરની સજના કરતા ત્રણ કરોડ પચાસ લાખ આખ્યાયિકાઓ છે. એમ ભગવાને કહેલ છે. પહેલા શ્રતસ્કંધમાં ઓગણીસ ઉશન કાળ છે, ઓગણીસ સમુશન કાળ છે. પાંચ લાખ છોતેર હજાર (૫,૭૬,૦૦૦) પદો છે, સખ્યાત અક્ષરો છે. અનંતા. ગમ છે, અનંતા પર્યાય છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવર છે, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત જિનકથિત ભાવ સામાન્ય અને વિશેષરૂપે કહેવાયા છે, પ્રજ્ઞપ્ત થયા છે, પ્રરૂપિત થયા છે. નિદર્શિત ઉપદશિત થયા છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy