________________
પા
શ્રી દેશવિરતિ જીવન
[૬૭૧] ૨૬મેંદો, , તથા તેની બનાવેલી ચીજો ન ખાવી જોઈએ, તેમાં પણ ચોમાસામાં જરૂર તેને અને વડી, પાપડ વિગેરે તેવી ચીજોને ત્યાગ કરે. , ૨૭-જમતાં થાળી જોઈને તે પાણી પી જવું. એઠું છાંડવું નહિ, આમાં માંદગી વિગેરે ખાસ કારણે જયણા રખાય.
૨૮-જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણોની, તથા જ્ઞાનાદિ ગુણવંત પુરૂષની નિંદા કરવી નહિ.
૨૯–ફાગણ સુદ ૧૫ થી માંડીને કારતક સુદ ૧૫ સુધી બદામ સિવાય પસ્તા વિગેરે મેવાને તથા ભાજીને ત્યાગ કરે.
૩૦-જ્ઞાનની આરાધના નિમિત્તે “નમો નાણસ” આ પદની અનુકૂળતા પ્રમાણે અમુક સંખ્યાઓ નેકારવાલી તથા કાઉસ્સગ્ન કરે. અહીં માંદગી, મુસાફરી વિગેરે જરૂરી કારણે જયણ રખાય.
૩૧-ચારિત્રની ભાવના તાજી રહે આ મુદ્દાથી ઘરમાં પવિત્ર સ્થલે મુનિ વેષ રાખી હંમેશા તેને જોઈ પોતે મુનિપણની ભાવના ભાવવી. કુટુંબી વર્ગને પણ તે રસ્તે દેરે.
હે શ્રીજિનેશ્વર શાસન રસિક શ્રાવકે! આ પ્રમાણે શ્રી દેશવિરતિ જીવનમાં જણાવેલી બીના બબર સમજીને અને તેની નોંધ કરીને બારે વ્રતની નિર્મલ આરાધના કરજે, તથા બીજા ભવ્ય જીવોને આ રસ્તે જોડજો, અને છેવટે પરમ નિવૃત્તિમય સર્વવિરતિ ધર્મને સાધીને મુક્તિના સુખ મેળવજે.૧
બહુ લંબાણમાં કહેતાં ગ્રંથ વધી જાય, તેથી જરૂરી મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મેં આ દેશવિરતિ જીવનની રચના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org