SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપતાસાહિત કૃતા રાજને પૂછે છે કે આથી વધારે આત્મિક આનંદ ક્યાં મળે ? જવાબમાં શ્રી ગુરૂ મહારાજે જણાવ્યું કે–પિષધમાં વધારે આત્મિક આનંદ મલી શકે, અને તેથી વધારે આત્મરમણતાને આનંદ ઉપધાન વહન, અને સર્વ વિરતિની સાધનામાં મલી શકે છે. જેમ ઘડીયાળ ચલાવવાને ચાવી દેવાની જરૂર પડે છે, એમ આત્માને પણ મોક્ષ માર્ગમાં દિવસે દિવસે આગળ ચલાવવા માટે પિષધક્રિયા એ અપૂર્વ સાધન છે, કારણકે આમાં કર્મબંધના કારણેથી અલગ રહેવાય, મન સ્થિર રહે, શાંતિ જળવાય, ઉત્તમ ભાવમાં આગલ વધતાં ઘણું કર્મોની નિર્જ થાય, અને આથી પોતાને આત્મા ઉપધાન વહન કરવાને અને દીક્ષાની સાધના કરવાને લાયક બનાવી શકાય, એમ સમજીને ઉત્તમ શ્રાવકેએ બહુ વાર પૈષધની આરાધના કરવી જોઈએ. તેમાં પણ પર્વના દિવસે માં વિશેષ કરીને (કાળજી રાખીને) ઉત્સાહથી પિષધ જરૂર કરે જોઈએ. આના ૧ આહારપૈષધ, ૨ શરીર સત્કારપૈષધ, ૩ બ્રહ્મચર્યપષય, ૪ અવ્યાપારપષધ, એમ મુખ્ય ચાર ભેદ છે અને તે દરેકમાં (૧) દેશથી આહારપૌષધ (૨) સર્વથી આહારપષધ, એમ બે બે ભેદ પડે, માટે ઉત્તરભેદ આઠ સમજવા. આમાં એક સંગી ભાંગાથી માંડીને ઠેઠ આઠ સગી ભાંગા સર્વે મળીને ૮૦ પડે છે, તેમાં હાલ એક આહાર પિષધજ બે પ્રકારે (દેશથી અને સર્વથી એમ) કરવાને વ્યવહાર છે, બાકીના ત્રણ નહિ. એનું કારણ એ કે પચ્ચખાણમાં “વાવર્ષા ગો પ્રશ્વામિ' આમ બોલાય છે. આથી એમ સમજવાનું મળે છે કે આહાર ધ સિવાયના ત્રણ પિષધ સર્વથી જ લેવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy