________________
શ્રી દેશવિરતિ જીવન
[ પ૭૩ ] આદિમા નાખેલે ગોળ કાચો ગણાય છે. અભક્ષ્ય વિગઈને તે શ્રાવકને ત્યાગજ હોય છે. ફક્ત જરૂર જણાય તે બાહ્ય ઉપચાર માટે દારૂની જયણા રાખે. વિલાયતી દવામાં તેને અંશ આવે, માટે જ વાપરવી. અજાણતાં તેમ થાય તેની
જયણા.
૪-ઉપાનહ–આ શબ્દથી જેડા, બુટ, ચંપલ, સપાટ, મજા, લાકડાની પાદુકા વિગેરે લેવાય. આમાં લાકડાની પાવડી પહેરીને ચાલતાં જીવહિંસા ઘણું થાય, તેથી તે ન વાપરવી; અહીં શ્રાવકે “હું દરરોજ જરૂરી આટલી (૨–૫) જેડ વાપરું, તેથી વધારે નહિ એ નિયમ કરે. નવા જેડા ખરીદ કરતાં તે બંધબેસ્તા આવે છે કે નહિ? તે જાણવા પહેરી જેવાય તેની જયણા.
પ-તંબેલ–આમાં પાન, સોપારી. કા, ઇલાયચી, તજ, લવીંગ, જાયફળ, જાવંત્રી, કેસર, પીપરીમૂળ, સુરણ વિગેરે સ્વાદિષ્ટ ચીજે ગણાય. આને અંગે દર મહિને અમુક (૨-૫ શેર) પ્રમાણ સુધી વાપરૂં આ નિયમ કરાય. નાગરવેલના પાન અને સોપારી નજ વાપરવી જોઈએ, કારણ કે નાગરવેલના પાનને ભીંજવીને રાખે છે, તેમાં લીલફૂલ, કુંથવા વિગેરે જેવો ઉપજે. ખાતાં વિરાધના એટલે હિંસાનું પાપ લાગે અને સોપારી એ રોગનું ઘર છે. વિદ્યાર્થી જીવનને બગાડે છે. અભ્યાસમાં બુદ્ધિ ઘટાડે, ને સ્વર બગાડે. આ બાબત એક હૃહે યાદ રાખવા જેવો છે. તે આ પ્રમાણે
હિંગ મરચુ ને આંબલી, સોપારી ને તેલ જે સૂરને ખપ હોય તે, પાંચે વસ્તુ મેલ.
(છોડ ત્યાગ કર ) ૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org