SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મજાગરિકા [ ૪૩૮ ] નહીં. કૃષ્ણ પ્રભુને પૂછયું કે-“તે એ કેણ મનુષ્ય છે કે જેની આવી દુષ્ટ બુદ્ધિ થઈ–બુદ્ધિ ફરી ગઈ?” પ્રભુએ કહ્યું કે-“હે કૃષ્ણ! તેં અહીં આવતાં જેમ પેલા વૃદ્ધને મદદ કરી તેમાં તેણે તારા ભાઈને મેક્ષે જવામાં મદદ કરી છે, માટે હે નૃપતિ! તારે તેના પર ક્રોધ ન કરે.” પ્રભુએ આ પ્રમાણે સમજાવતાં કૃષ્ણ પૂછયું કે-“હે પ્રભુ! તે પુરુષને હું કેમ ઓળખીશ?' પ્રભુએ કહ્યું કે “અહીંથી નગરી તરફ જતાં તને જે મનુષ્ય સામે મળે અને તેને જોઈને તારી ધાસ્તીથી મરણ પામે તેને તું તારા ભાઈને મારનારે જાણજે.” ૪પ૬ થી ૪૫૮. નિસુણી પ્રભુને વંદીને હાથી ઉપર નૃપ બેસીને, નયરી તરફ સામે મળ્યો સોમિલ ત્યાં ઇમ ચિંતવે; પ્રભુ નેમિનાથે કૃષ્ણને એ વાત ગજસુકુમાળની, - કીધી હશે મુજ શું થશે? ચિંતા થતાં ઈમ ભયતણું. ૫૯ તે જ સમયે મરણ પામ્યા કૃષ્ણ નૃપતિ દેખતાં, મુજ ભાઈને આ મારનારે દુષ્ટ એમ જણાવતા મૃતકને બાહિર કઢાવી ભૂમિ શુદ્ધ કરાવતા, ભાઈ કેરે શોક હૃદયે ધારતા ઘર આવતા. ૪૬૦ અર્થ:કૃષ્ણ વાસુદેવ આ પ્રમાણે પ્રભુ પાસેથી સાંભળી હાથી ઉપર બેસીને નગરી તરફ પાછા વળ્યા. તેવામાં મિલ સામો મળે. તે એમ ચિતવવા લાગ્યો કે-નેમિનાથ પ્રભુએ કૃષ્ણને મેં ગજસુકુમાળને ઉપસર્ગ કર્યો એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy