________________
[ ૩૫ર ]
શ્રી વિજયપધસૂરિજી કૃત વિધિ વગેરે આવશ્યકાદિ સિદ્ધાન્તમાંથી જાણવા. આ પ્રતિકમણું કરવાના મુખ્ય ચાર સ્થાન આ પ્રમાણે કહ્યાં છે. (૧) પૌષધશાલા (૨) પિતાનું ઘર (૩) મંદિર તેમજ (૪) જે સ્થળમાં મુનિરાજને નિવાસ હોય તે સ્થળે શ્રાવક હોંશથીઆનંદથી પ્રતિક્રમણ કરે. ૩૫૦.
હવે પ્રતિક્રમણના પ્રસંગે જરૂરી સૂચના કરે છે – પ્રતિક્રમણ કરતાં કરે નહિ આરિદ્ર ધ્યાનને, નિર્જરા બહુ લાભ જાણ તીવ્ર ઉપયોગી બને, મિચ્છામિ દુક્ક દે હવે જે ચિત્ત કેરી અથીરતા, પ્રતિષિદ્ધ કરણાદિક ખમાવે સરલતાએ હર્ષતા. ૩પ૧
અર્થ:––વળી પ્રતિક્રમણ કરતી વખતે શ્રાવકે અશુભ આલેચના માટે પરોઢીએ કરાય છે. ૩ પાક્ષિક-પખવાડીઆના પાપની આલેચના માટે દર ચતુર્દશીએ સાંજના કરાય છે. ૪ માસિક-કાર્તિક સુદ ચૌદશ, ફાગણ સુદ ચૌદશ અને અષાડ સુદ ચૌદશ એમ ત્રણ માસના અંતે કરાય છે. ૫ સાંવત્સરિક-ભાદરવા સુદ ચોથને દિવસે કરાય છે. - આ પ્રતિક્રમણનાં બીજાં આઠ પર્યાયે (નામ) આ પ્રમાણે છે –
૧. પ્રતિક્રમણ–પાપથી પાછા ફરવું. ર પ્રતિચરણું–શુભ યોગ તરફ વારે વારે ગમન કરવું. ૩ પ્રતિહરણ-સર્વ પ્રકારે અશુભ યોગને ત્યાગ કરવો. ૪ વારણા–અકાર્ય વારવું–ન કરવું. ૫ નિવૃત્તિ–પાપવાળા કાર્યથી પાછા હઠવું. ૫. નિંદા–આત્મસાક્ષીએ પાપને નિંદવું. ૭ ગ––ગુરૂ સાક્ષીએ પાપની નિંદા. ૮. શુદ્ધિઆત્માને નિર્મળ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org