SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મજાગરિકા [૩ર૩] વગેરેની સંભાળ લઈને પછીથી સાધુ મહારાજ જે વસ્તુઓ હેરતા હોય તેજ વસ્તુઓ શ્રાવકે જમાવી જોઈએ અને તે વખતે એમ વિચારવું કે શ્રાવકને ઉત્તમ ભેજનવિધિ આજ પ્રકારનો છે. માટે તેમજ કરવામાં વિશેષ લાભ છે. ૩૨૦ શ્રાવકે કેવા પ્રકારને આહાર વાપરે? તે જણાવે છે – રોગ કારણ જે નહિ અનુકૂલ જે નિજ પ્રકૃતિને, તુછાષધિ બહુ બીજ સાધારણ વનસ્પતિ વર્ગને છંડી વિકૃતિ દ્રવ્યાદિ માને ઊણોદરિકા ભેદને, જાળવી ભજન કરે દીલમાં ધરીને શાંતિને. ૩ર૧ અર્થ:–જે આહાર રેગની ઉત્પત્તિનું કારણ હોય, વળી પિતાની પ્રકૃતિને (શરીરની સ્વસ્થતાને) જે અનુકૂલ ન હોય એટલે જે આહાર વાપરવાથી શરીરની સમાધિમાં ખલેલ આવતી હોય તે આહાર શ્રાવકે ન વાપરે. તથા ૭ ઔષધિ એટલે જેમાં ખાવાનું થોડું હોય અને નાખી દેવાનું ઘણું હોય તેવા બેર વગેરે, અને બહુબીજ જે વનસ્પતિમાં ઘણું બીયાં હોય તેવા વડના ટેટા વગેરે, તથા સાધારણ વનસ્પતિકાયના (જેના એક શરીરમાં અનંતા જીવ હોય તેને સાધારણ વનસ્પતિકાય અથવા અનંતકાય અથવા બાદર નિગદ કહી છે) વર્ગને એટલે સમૂહને જેવા કે કંદમૂળ, બટાટા, વગેરે અભક્ષ્યને શ્રાવકે ત્યાગ કરે. વળી વિકૃતિ ૧-મધ માખણ ને આમળાબેર, એ ત્રણ ખાય તે હરાયુ ઢેર. ૨. વિકૃતિ એટલે વિકાર (વિષયનું ઉદ્દીપન) વિકાર કરનાર હેવાથી કાર્યમાં કારણને ઉપચાર કરીને વિકાર કરનારાં દ્રવ્યોને પણ વિકૃતિ (વિગઈ) કહી છે. તેના ૧ ભક્ષ્ય ( ખાવા લાયક ) અને ૨ Jain Educationa International nal For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy