SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૦ ] શ્રી. વિજયપદ્મસૂરિજી કૃત વળી શ્રાવકે તેવા પ્રકારના સરલ–નિર્દોષ વ્યવસાય-ધંધા વેપાર કરવા જોઇએ. જેથી મરણની છેલ્લી ઘડીએ સમાધિ મરણની પ્રાપ્તિ થાય. ૨૨૯. નીચે જણાવેલી હિતશિક્ષા શું સાચા શ્રાવકે ભૂલે ખરા કે ? નજ ભૂલે એમ જણાવે છે: સર્વ પાપસ્થાન છેડે વ્યસન સાતે પરિહરે, સટ્ટો કરે ન લગાર . અણધાર્યું મરણ એથી ખરે; અન્યકૃત ઉપકાર સમરે ઉચિત મલા પણ દીએ, ક કારણથી ખચી આદર્શ જીવન જાળવે. ૨૩૦ અર્થ:—શ્રાવકે સર્વે અઢાર પાપસ્થાનકાને ત્યાગ કરવા. તથા સાતે વ્યસન છેડી દેવાં. કાઈ પણ જાતના સટ્ટાના વ્યાપાર ન કરે, કારણ કે સટ્ટાના વ્યાપાર કરવાથી અચાનક મરણુ (હાર્ટ ફેલ) પણ થાય છે. (આ સટ્ટાના ધંધાથી દરેકને વગર મહેનતે પૈસાદાર થવાની ઇચ્છા આ જમાનામાં થાય છે, પણ દ્રવ્ય મળવું અથવા ન મળવું તે પુણ્યને આધીન છે. તથા વગર મહેનતના પૈસા લાંબે વખત ટકતા ૧. સમાધિ મરણઃ—શમતા પૂર્ણાંકનું મરણુ. મરતી વખતે પ્રાપ્ત થતી ચિત્તની સ્થિરતા. શ્રી પચત્રમાં આ મામતને સારા વિસ્તાર કરેલા છે. ૨. સાત વ્યસને આ પ્રમાણેઃ-૧ માંસ ખાવું, ૨ મદિરાપાન ૩ મૃગયા–શિકાર, ૪ વેશ્યાગમન, ૫ વ્રત–જુગાર, ૬ પરી લંપટતા ૭ ચેરી. આ સાતમાંના એક એક વ્યસનથી પણ જીવા ધણા દુ:ખી થયા છે. તે સાતનુ તે શું કહેવું. ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy