________________
[ 0 ]
શ્રી વિજયપધસૂરિજી કૃત સેબતને અનુસાર ફલ (અસર) થાય છે તે દષ્ટાન્ત પૂર્વક આ ગાથામાં દેખાડે છેસંસર્ગને અનુસાર ફલ દેખ તપેલા લેહમાં, બિંદુ પડે વિણસેજ મુક્તાસમ નલિની પત્રમાં છીપમાં પડતાં હોય મેતી વૃષ્ટિ બિંદુ સ્વાતિમાં સંગ જેવો રંગ તે એમ પણ જે તુંબમાં. ૨૧૦ ' અર્થ:–જેવી સેબત તે પ્રમાણે ફલ (અસર) જણાય છે. જેમકે તપેલા લેઢા ઉપર પાણીનું ટીપું પડે તે તેને નાશજ થાય. તેનું નામ નિશાન પણ રહેતું નથી. તેજ પાણીનું બિન્દુ કમલના પાંદડા ઉપર હોય તે મુક્તા સમ એટલે મોતીના દાણું જેવું શેભે છે. વળી સ્વાતિ નક્ષત્રમાં વરસેલું તે બિન્દુ છીપના પેટમાં (મધ્યે) જાય તો સાક્ષાત્ તીજ બની જાય છે. એથી સાબીત થયું કે જેને જેવી સબત થાય તેવી તેને અસર થાય છે. એ વિષે તુંબડાનું (આગળ કહેવાતું) દષ્ટાંત પણ તું વિચારજે. ૨૧૦.
- પૂર્વ કલેકમાં સૂચવેલું તુંબડાનું દષ્ટાંત સ્પષ્ટ સમજાવે છે – રૂધિર પીએ કે તારે કઈ સાગર તુંબડાં, પાત્રલીલા અનુભવે યતિ હાથ કેઈ તુંબડાં, વંશ સગે મધુર રસ ગાય કેઈક તુંબડાં, નીચ સંગે નીચ હવે ઉચ્ચ સંગે વળી વડા. ૨૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org