SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મજાગરિકા [ ૧૭ ] કરનારા, વિટ એટલે ભાંડ, ભવૈયા, વગેરે તથા પારકાની સ્ત્રીનો સંગ કરનારા તેમજ જુગારીઓની સોબત શ્રાવકે કરવી નહિ. કારણ કે તેવાઓની સબત કરવાથી ખરેખર ધર્મની નિન્દા થાય છે. તેવી સોબતથી આ લેક અને પરલેક એમ બંને લોકમાં અત્યન્ત ભયંકર દુ:ખની પરંપરાની પ્રાપ્તિ થાય છે. માટે ભવ્ય શ્રાવકેએ તેવાઓની સોબત કદાપિ કરવી નહિ. ૧૯૭. નીચની સબત શા માટે ન કરવી તે દષ્ટાન્તો દઈને સમજાવે છે – વ્યાધિ મરણ દરિદ્રતા નિજ વાસ અટવીમાં વરે, પણનીચસંગ ઉચિત નહીવિષ વેગથી આ આકરા સહવાસથી ગુણ દોષ પ્રકટે તલ સુગંધી પુષ્પથી, આમ્રમાં કડવાશ આવી નિંબ કેરા સંગથી. ૧૯૮ અર્થ –આ જીવને વ્યાધિ-રેગ, મરણ, ગરીબાઈ તથા જંગલમાં રહેવાનું પ્રાપ્ત થાય તે સારું છે. પણ વિષ વેગ એટલે ઝેરના વેગથી પણ આકરે (તીવ્ર દુ:ખદાઈ) ભયંકર નીચને સંગ (સેબત) કરે તે કઈ રીતે યોગ્ય નથી. કારણ કે વિષને વેગ એકજ ભવનું મરણ આપનાર છે ત્યારે નીચની સબત આ જીવને ભવોભવ-ઘણું ભવ સુધી દુર્ગતિ આપનારી થાય છે. કહેવત છે કે “સબત તેવી અસર માટે સારી સોબતથી ગુણો અને ખરાબ સબતથી દોષ પ્રકટે છે, તેથી નીચની સબત તજવા ગ્ય કહી છે. આ બાબત જુએ દષ્ટાંત–ઉત્તમ પુષ્પની સેબતથી તલમાં સુગન્ધી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy