SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રી વિજ્યપધસૂરિજી કૃત રાખે અરે જેવું ડહાપણ કર્મ તરફલ ચાખતાં, તેવું જરૂર તું રાખજે ભઈ! કર્મ તરૂને વાવતાં. ૧૯૧ અર્થ:–અજ્ઞાનથી–અજાણપણે બાંધેલાં કુકર્મો-ખરાબ કર્મો ભેગવ્યા વિના ખસતા નથી એટલે નાશ પામતા નથી. માટેજ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે જે કર્મ અનુભવાય તે કર્મનાં દલિકે આત્માથી દૂર થાય છે અથવા ખરી જાય છે. એટલે બાંધેલાં કર્મોને (રદય અથવા પ્રદેશદયથી) ભગવ્યા સિવાય છુટ નથી. તેથી હે ભાઈ ! કર્મરૂપી વૃક્ષનાં ફલ ભેગવતાં તને (જે) ડહાપણ સૂજે છે કે જે આવાં પાપ કર્મો મેં આગલ બાંધ્યાં ન હોત તો મારે દુઃખી થવાને વખત આવત નહિ. તેવું ડહાપણ કર્મરૂપી વૃક્ષને વાવતી વખતે એટલે ખરાબ કર્મ બાંધતી વખતે (પાપ કરતાં) તું જરૂર રાખજે. જેથી પછીથી પસ્તાવો કરવાનો વખત આવે નહિ. ૧૯૧. અજ્ઞાનથી આવું ન કરવું જોઈએ તે જણાવે છે – સંસારી જી આપ કાજે અન્ય કાજે પણ ઘણાં, કરતાં સમજ દૂર કરી વ્યાપાર મીલ કૃષિ આદિના જે બાંધવોને કાજ કરતા પાપ કમે આકરા, દુઃખના સમે કમે તણા ના ભાગ લેશે તે જરા. ૧૯૨ અર્થ આ સંસારમાં જીવો અજ્ઞાન તથા મેહને વશ થઈને પિતાને માટે તથા બીજાને માટે એટલે પિતાના ૧. કહ્યું છે કે-બંધ સમય ચિત્ત ચેતીઓ, ઉદય મહા બલવાન. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy