SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રી વિજયવદ્યારિજી કૃત - ગુરૂવંદનના ફલનું દષ્ટાન્ત આ ગાથામાં દેખાડે છે – ચાર નરક ગમન ટળ્યું ક્ષાયિક સુદર્શન ઉદ્દભવ્યું, જિનનામ બાંધ્યું કૃષ્ણ ભૂપે વંદના ફલ ઈમ કહ્યું છ ગણે વિનય ગુણ નમ્રતા ગુરૂપાદ પંકજ પૂજના, પ્રભુ આણુની આરાધના મૃતધર્મ શિવપદ સાધના. ૧૫ર અર્થ –કૃષ્ણ મહારાજે બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથને તથા તેમના સાધુ પરિવારને વંદન કરતાં પૂર્વબદ્ધ સાતમી નરકનાં દલીયાં ખપાવીને ત્રીજી નરકનાં કર્યો એટલે તેમની ચાર નરકે ઓછી થઈ. વળી સર્વ શ્રેષ્ઠ ક્ષાયિક સમતિને પ્રાપ્ત કર્યું. જિનનામ કર્મ બાંધ્યું જેથી તેઓ આવતી ચોવીશીમાં પ્રભુશ્રી વીરની જેવા પદ્મનાભ નામે તીર્થંકર થશે. એ પ્રમાણે ગુરૂવંદનનું ફલ કૃષ્ણ મહારાજે મેળવ્યું. તથા ગુરૂવંદન કરતાં છ ગુણ (લાભ) પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે –૧ વિનય ગુણ, ૨ નમ્રતા-અભિમાનને નાશ, ૩ ગુરૂના ચરણ કમલની સેવા, ૪ તીર્થંકરની આજ્ઞાનું આરાધન, ૫. મૃતધર્મની સાધના, ૬ મેક્ષ પદની પ્રાપ્તિ. ૧૫ર. ૧ ક્ષાયિક સમકિત –અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લભ એ ચાર તથા સમતિ મેહની મિત્ર મેહની અને મિથ્યાત્વ મોહની એ સાતેના સર્વથા (મૂલથી) ક્ષય કરવાથી ક્ષાયિક સમકિત થાય છે. એ સમકિતી અબુદ્ધાયુ હોય તે તે ભવમાંજ મેક્ષે જાય છે. પૂર્વબુદ્ધાયુ હોય તે ત્રણ ચાર ભવે અને કેઈક પાંચમે ભવે પણ માઁ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy