SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] શ્રી વિજયપધસૂરિજી કૃત તમો અમને પિતાના ભક્તની કેટીમાં–કક્ષામાં–સમાનતામાં ગણો છો એ આપની હદપાર–અપાર દયાને અમે કેમ કરી ભૂલીશું? આપજ ખરેખર દયાના ભંડાર છે. એટલે આપનામાં તો ઘણી દયા ભરેલી છે. અમારા સિવાય બીજા–ઉન્મત્ત અભિમાની ગાંડ જીવ કોણ છે? અને અમે અપરાધ કરનાર છતાં અમારા જેવાને પણ તારનાર આપના સિવાય બીજા કોણ છે? ૯૨. પ્રભુ આપ કરૂણા રૂપ કરને દેઈ ભવ્ય સમાજને, પકડી કૃપાએ રાખતા તુજ ધન્ય કરૂણ ભાવને; નહિ તે જરૂર પડતાજ તેઓ નરકરૂપી કૂપમાં, કેના શરણને લેત રેતાં જેહ પલ પલવારમાં. ૯૩ અર્થ:–હે પ્રભુ! તમે તે દયારૂપી હાથે આપીને ભવ્ય સમાજને ભવ્ય જીવોના સમૂહને કૃપા વડે દુર્ગતિમાં જતાં પકડી રાખ્યો છે. માટે આપના દયા ભાવને ધન્ય છે. તે જેને આપની દયારૂપી હાથને આધાર ન હોત તે નકકી તેઓ નરક રૂપી ઉંડા કૂવામાં પડ્યા હતા. તે દુ:ખી ઘડીએ ઘડીએ રૂદન કરી રહ્યા હતા. તે વખતે દુઃખથી પીડાયા છતાં (આપના સિવાય) બીજાકનું શરણ મેળવત? 8. કલેશહણે નિર્વિકારી દેહ શોભે આપને, તેને નિરખતાં પણ અભવ્ય બને નિધાન ન હર્ષને જિમ કાકને ન ગમે ધરાખ ધરાખને શે દોષ છે? જે આપ ન ગમે તેહને ત્યાં આપને શેષ છે? ૯૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy