SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યનું દાન ન કરી શકે પરંતુ તેનાથી અતિ ચડિયાતું એવું ભાવદયાનું દાન શ્રીસંઘ અને સમાજ ઉપર નિરંતર કરી શકે. તેથી જ સંતેને ધરતીનું લુણ કહ્યા છે. પૂ. કુસુમબાઈને કેન્સરની બીમારી અતિઘણું વધી જવાથી દાક્તરોએ પૂર આરામ લેવાની, વ્યાખ્યાન વાણી પણ ન ફરમાવવાની ને વધુ વાતચીત પણ ન કરવાની સલાહ આપી. સંઘે પણ દાક્તરની સલાહ માનવાનું દબાણ કર્યું. તેથી પંદરેક દિવસ તેમ કર્યું, પણ તેમનું અંતર કરૂણભાવથી ઉભરાવા લાગ્યું. આ ગ્રંથની વાંચણ માટે નવરંગપુરા ઉપાશ્રયે તેમના સાન્નિધ્યમાં ૧૬ દિવસ હું રહ્યો ત્યારે મેં પણ એજ સલાહ આપી. પરંતુ મને કહે:- રસિકભાઈ ! ચાતુર્માસમાં લેકે જિનવાણીને લાભ લે તેટલા માટે સંઘે કરાવેલ છે. ને વ્યાખ્યાન વાણી ફરમાવવા એ સાધુને ખાસ ધમ છે. ચોમાસાના દિવસોમાં લોક ઉપાશ્રયે વિશેષ આવે અને બહારગામથી પણ દર્શને આવે – અને હું સુઈ રહું તે સાધુધર્મની ઉપેક્ષા કર્યા સમાન ગણાય. અને પિતાને શારીરીક શ્રમ પડતે સ્પષ્ટ જણાતું હતું, છતાંય લોકેને જિનવાણી સાંભળવાનો લાભ મળે તેટલા ખાતર જ વ્યાખ્યાન વાણી શરૂ કરી દીધા ને ચાતુર્માસના છેલ્લા દિવસ સુધી આપ્યા. આ હતી એમની અનન્ય અનુકંપા. નારણપુરા ઉપાશ્ચયે પણ તેમનાં અંતિમ દિવસમાં તેમના સમિપે રહેવાનું સદ્ભાગ્ય મળેલું. સવાર બપોરના એક બે કલાક એકલા બેસવાનું થતું. ત્યારે પૂ. સતીજીને હદયના ભાવ જણવેલા કે આ ગ્રંથની - સમ્યગદર્શનની વચણ આપની સાથે કરી છે. તેથી આપને સમર્પણ કરવાની ભાવના છે. સાંભળીને મુખ પરની એકપણ રેખા બદલાવ્યા વગર મૌન રહ્યા. મૌનપણે જાણે કહેતા ન હોય કે જેવા તમારા ભાવ ! અમારે એની સાથે કશી નિસ્બત નથી. આ નિર્લેપતા તેમના સમગ્ર સંયમજીવન દરમ્યાન જોવા મળેલ છે. રત્નત્રયીની આરાધના સિવાય બીજી કેઈ અપેક્ષા નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy