SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન ૩૩ શ્રી. ઉત્તરાધ્યયન સૂત્ર રત્મા સમ્યકત્વ પરાકમ અધ્યયનના ૨૧મા અનુપ્રેક્ષા બોલમાં જે ફળ પ્રભુએ કહ્યું છે તે ફળ જરૂર રસઘાત ને સ્થિતિઘાતથી જીવને ઉપર પ્રમાણે. મળે છે. (૩) અનિવૃતિકરણ – અપૂર્વકરણ કર્યા પછી જીવ તરત જ ત્રીજા “અનિવૃત્તિકરણ”ને પામે છે. અનિવૃત્તિકરણ એટલે જીવને સમક્તિ અપાવ્યા વગર જે નિવૃત્ત થવાનું નથી તેવું કરણ. નિવૃત્તિ એટલે પાછા હઠવું, તે પાછા હઠવાપણું આમાં નથી, જીવને સમક્તિ અપાવ્યે જ છુટકે. કરે તે અનિવૃત્તિકરણ. નિવૃત્તિને બીજો અર્થ છે ફેરફાર. આ ફેરફાર જીવના અધ્યવસાયને અનુલક્ષીને છે. યથાપ્રવૃત્તિકરણ ને અપૂર્વકરણમાં પ્રત્યેક સમયે અસંખ્ય લેકાકાશ જેટલા અધ્યવસાય સ્થાનકે એટલે કે ભામાં ફેરફાર તીવ્ર–મંદતાની અપેક્ષાએ કહ્યા છે. તેવા ફેરફાર અનિવૃત્તિકરણમાં થતાં નથી. તેથી જ આ કરણને અનિવૃત્તિકરણ કહ્યું છે. આમાં દરેક સમયે એક જ અયવસાય હોય છે. અંતમુહૂર્તની સ્થિતિવાળા. આ અનિવૃત્તિકરણનાં જેટલા સમય થાય છે તેટલા જ તેના અધ્યવસાયે જાણવા. આથી જીવને અધ્યવસાયની સ્થિરતા (ભાવથિરતા) થાય છે. તેથી પ્રથમ સમયના અધ્યવસાય કરતાં પછી પછીના સમયના અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણુ થતી જાય છે, કારણકે આમાં રસઘાત, સ્થિતિઘાત આદિ પ્રથમ સમયથી જ વિશેષ પ્રકારે ચાલુ સ. ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy