SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ સમ્યગદર્શન હોય છે. તેથી જીવને સમ્યગદર્શનને ગુણ આ રીતે પ્રગટે છે – અપૂર્વકરણ દ્વારા જીવે ઘન (દાઢી) એવી રાગદ્વેષની ગ્રંથીઓને ભેદી તે નાખી પણ ગાંઠ સંપૂર્ણ છેદાણી નથી. અપૂર્વકરણની પ્રકિયા લાકડાને છેદતા કુહાડાની ધાર જેવી છે. લાકડાની ગાંઠ બહુ ચીકણી હોય તે કુહાડાથી થોડી ભેદાય, ઢીલી પડે, પણ સંપૂર્ણ તુટીને અલગ હજી ન થાય. તેમ અપૂર્વકરણમાં મિથ્યાત્વના દળીયા સંપૂર્ણ નાશ પામતા નથી, જેના ભેદાયા, પણ મીથ્યાત્વ મેહનીયન વિપાકેદય હજી ચાલુ જ છે. તેથી અપૂર્વકરણમાં સમક્તિ ગુણ પ્રગટી શકતું નથી. એટલે જીવ અનિવૃત્તિકરણ દ્વારા એવી સ્થિતિ પેદા કરે છે કે જેમાં મિથ્યાત્વ મિહનીયને સર્વથા ઉદય જ ન હોય કે વિપાકોદય પણ ન હોય. જીવની આવી અવસ્થા અપૂર્વકરણે પિતાને કરવાનું કાર્ય કરી લીધા પછીથી જીવમાં જે શુભ પરિણામ પિતાના વીર્ય થી (પુરૂષાર્થથી પ્રગટે છે તેનાથી જ પેદા થઈ શકે છે તેથી એ પરિણામને “અનિવૃત્તિકરણ” તરીકે ઓળખાવાય છે. ત્યારે જીવ મિથ્યાત્વ મોહનીય ને અનંતાનુબંધી કષાયના દલિના ઉદયથી રહિત એવા અંતમુહૂર્તને અનંતકાળના સંસાર પરિભ્રમણમાં પહેલી વાર પામે છે. અનિવૃત્તિકરણ એ તરવારની ધાર સમાન છે. તેથી ગ્રંથીભેદ સંપૂર્ણ થાય છે. પણ પછી સમક્તિ તરત જ પ્રગટતું નથી. પણ આટલો પરિશ્રમ કર્યાથી જીવ જરા થાક ખાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy