SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૮ સમ્યગદર્શન (ઓછી, જે સ્થિતિ રાખી હતી તેને (આયુષ્ય સિવાયના બીજા સાતે કર્મોની સ્થિતિને) એક પલ્ય પમના અસંખ્યાતમા - ભાગ જેટલી ઓછી કરે, એમ કરતાં જ્યારે ૭૦૦ થી ૮૦૦ સાગરોપમ ઓછી થાય)? ત્યારે પાંચમી કરણ લબ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે જીવ ચાર કરણ કરીને ગ્રંથી એટલે અનાદિ કાળથી અજ્ઞાની મિથ્યાત્વી જીવને વળગેલી - રાગ-દેષરૂપી ગાંઠોને સર્વથા ભેદીને સમક્તિને પામે છે. કરણ – કષાયની મંદતાને “કરણ” કહે છે. તે ચડિયાતા કમે નીચે પ્રમાણે ચાર છે. (૧) યથા પ્રવૃત્તિ કરણ – અનાદિ અનંત સંસાર પરિભ્રમણમાં જીવ પ્રથમવાર ગ્રંથી દેશ સુધી પહોંચે છે તેને પડેલું “યથાપ્રવૃત્તિ કરણ કર્યું કહેવાય છે. “અનતિ ક્રમ્ય કતિ વૃત્તિ યથા પ્રવૃત્તિ” “અતિક્રમ” એટલે મનની નિર્મળતાને દુષિત કરીને વ્રતભંગ કરવાનું વિચાર કરે છે, તેને “અન” એટલે કે “ન” પ્રત્યય લગાડતાં અનતિકમ્ય એટલે કે અતિચાર દોષ ન લગાડવાને વિચાર કરો એટલે પરમાર્થથી મનને નિર્મળ રાખી પિતાની પ્રકૃતિને અનુકુળ ધર્મકરણ કરવા તત્પર થવું તે “યથાપ્રવૃત્તિ કરણ” છે. આ વખતે જીવને એવી ભાવના રહ્યા કરે છે કે કર્મના બંધનમાંથી વહેલામાં વહેલા કેવી રીતે છુટવું, કર્મબંધનથી પમાતા દુઓને આ જીવને અનંત કાળની સંસાર પરિભ્રમણમાં પ્રથમ વાર ખ્યાલ આવે છે. સંસારના દુખનું વાસ્તવિક જ્ઞાન અને ભાન થાય છે. તેથી આ કર્મ ગ્રંથીઓને છેદવાને વિચાર આવે છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy