SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદર્શન ૧૯ છે. જેનું મન આ ધર્મમાં પ્રવર્તે છે, અર્થાત્ આ દયામય ધર્મની જે કોઈ આરાધના ભાવપૂર્વક કરે છે, તેને દેવ પણ વંદન–નમસ્કાર કરે છે. (૧) દે તે રિદ્ધિસિદ્ધિમાં મનુષ્ય કરતાં અનેકગણું ચડિયાતા હોય, તેમ છતાં તેવા સાધકને નમસ્કાર કેમ કરે ? દેવે અવધિજ્ઞાનયુક્ત હોય છે. તેથી જાણે છે કે દયામય અહિંસા ધર્મની શુદ્ધ ભાવે આરાધના કરનાર સાધક સમ્યગદષ્ટિ જ હોય; અને સમકિતી જીવ તદ્દભવે કે પરંપરાએ અવશ્ય મેક્ષે જ જવાને, તેથી ઉપલક્ષણે ભાવિ સિદ્ધ પરમાત્માને દેવે વંદન કરે છે. તે અપૂર્વ મહિમા સમ્યગદર્શનને છે. તે સમ્યગદષ્ટિ સાધક સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ રૂપી મોક્ષ માની કેવી ભાવપૂર્વક સાધના જુદા જુદા માર્ગથી કરે તેના રૂડા ભાવ શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રના સમ્યકત્વ પરાક્રમ” નામના અધ્યયનમાં પ્રભુ મહાવીર વિક સ્વામીએ તેમની અંતિમ દેશનામાં આપ્યા છે તે જિજ્ઞાસુએ ગુરૂગમથી જાણવા. દષ્ટાંત - હાથીના ભવમાં સસલાની દયા પાળવાથી શ્રી મેઘકુમારના જીવને તિર્યંચ ગતિની પશુની યોનીમાં પણ સમક્તિ પ્રાપ્ત થયું તેમ ભગવાન મહાવીર સ્વામીએ શ્રી જ્ઞાતાસૂત્રના પ્રથમ અધ્યયનમાં પિતાના સ્વમુખે શ્રી મિઘમુનિ દીક્ષા લીધા પછી બીજા જ દિવસે દીક્ષા છોડી રાજમહેલે પાછા જવા માટે પ્રભુની આજ્ઞા લેવા ગયા. ત્યારે કહ્યું, જે મૂળ પાઠ નીચે પ્રમાણે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy