SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનના આઠ અંગ ૨૬૧ રીતે “શમ” નું ફળ “સંવેગ” છે. સંગી જીવને સંસારના આરંભ-પરિગ્રહને ભારે કંટાળો આવે, પૂર્વ પુણ્યના જેગે ભરત ચક્રવર્તીની જેમ છ ખંડની રિધ્ધિ સિધિ મળી હોય, છતાં તેમાં આસક્ત ન બને, નિલેપ રહે અને વૈરાગ્યભાવ પામે તે “નિર્વેદ સંવેગીને અવશ્ય આવે, ત્યારે સ્વદયા ને પરદયા” રાખવા રૂપ અનુકંપા ગુણ તે જીવમાં અવશ્ય પ્રગટે, ત્યારે જિનવચનની પરમ આસ્થા-શ્રદ્ધા ગુણ “આસ્તિક્ય” પ્રગટે. કારણકે સમાદિ ચારે ગુણે જીવને પરમ કલ્યાણકારી છે એવા જિન વચનની શ્રદ્ધા કરી તે તે ચારે ગુણે પ્રગટયા આવી આસ્થા સહેજે આવે. આ રીતને પાંચે લક્ષણને પૂર્વાનુમૂવી સુલટો કમ છે. હવે પશ્ચાનુપૂવ ક્રમથી પણ સરખા ભાવ જ જાણવા મળશે. તે આ રીતે – પહેલા આસ્તિક્ય” અર્થાત આસ્થા એટલે જીવ–અજીવ આદિ તત્વના અસ્તિત્વની હેવાપણાની શ્રદ્ધા – અંતરપ્રતીતિ ઉપજવી તે અંતર પ્રતીતિ થવી એટલે આત્માના (જીવના) શુધ્ધ સ્વરૂપને યથાતથ્ય જિનેશ્વરે જે રીતે અજરામર સ્વરૂપ કહ્યું છે તે જ પ્રમાણે, જાણે. ત્યારે વિચાર થાય કે આત્મા તે અજર અમર છે તે પછી જન્મ મરણના ચકકરમાં સંસારની ચારે ગતિમાં તેને કેમ રખડવું પડે છે? એટલે સંસારનું દુઃખમય સ્વરૂપ જાણે, ત્યારે જીવને પિતાના જ આત્માની રખડપટીની “અનુકંપા” થાય, આમ “સ્વદયા” જાગે, ત્યારે પિતાના આત્માને દંડાતે બચાવવા પરજીવોની દયા પાળવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy