SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા એજ સમ્યગદર્શન -૧૧૭ પરમ શ્રદધા જીવાત્માને ઠેઠ પરમાત્મપદ સુધી પહોંચાડી દે છે. સિદ્ધપદ પ્રાપ્ત કરાવી દે છે. શ્રદ્ધા એ જીવનનિષ્ઠા છે, એ પરમ સમર્પણ ભાવ છે. સમર્પણતા ત્યારે જ થઈ શકે છે, જ્યારે આપણા અનાદિ કાળના અહંભાવનું વિસર્જન થાય છે, અને ગુણની મહત્તાને સ્વીકાર પ્રથમ અંતરાત્મામાં થાય છે. કેઈ વિશિષ્ઠ વ્યક્તિ પ્રત્યે. તેમનામાં સામાન્યજન કરતાં કોઈ વિશેષ ગુણ જોઈ તેમના પ્રત્યે એક સ્થાયી “પ્રભેદ ભાવ” આપણા હૈયામાં સ્થિર થાય તેનું નામ જ “શ્રદધા. અન્યની કલ્યાણકારી મહત્તાની અહેભાવપૂર્વકની ઉલ્લાસમય સ્વીકૃતિ સાથે હૈયામાં તેમના પ્રત્યે “પૂજ્યભાવ” પ્રગટે તે જ ખરી શ્રદ્ધા છે. સર્વજ્ઞ તીર્થકરેએ “અપ સે પરમપા” આત્મા એ જ પરમાત્મા છે – એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેમના વચનમાં શ્રદ્ધા રાખી જીવાત્મા જ્યારે પિતાના જ આત્મસ્વરૂપની પિતાના જ આત્મા વડે શ્રધ્ધા કરે છે, ત્યારે તે આત્મા નિશ્ચયથી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. તેથી જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “સધા પરમો દુલ્લહા” કહી છે. કારણ કે એક જ વખત આ સદધા આવી જાય તે તે જીવ અવશ્ય મોક્ષ પામી જાય. અને ગીતામાં પણ “ છદ્ધઃ સ એવ” સ” અર્થાત્ “જે જેની શ્રદ્ધા કરે છે તે જ તે થાય છે. તેમ કહ્યું છે. સમ્યગદર્શનને આપણે વ્યવહાર ભાષામાં, “સમતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy