SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ઇલેક્ટ્રિસિટી અને અગ્નિ (તેઉકય) ફક્ત પૌદ્ગલિક પરિણમોની નિષ્પત્તિરૂપ ઉત્પન્ન થયેલી શુદ્ધ ઇલેક્ટ્રિસિટી અને જ્વલનશીલ ક્રિયાની નિષ્પત્તિરૂપ પેદા થયેલી અગ્નિ જે તેઉકાય જીવના રૂપમાં હોય છે, અને બન્નેની તીવ્રતાને અનેક આધાર પર સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. (૧) લાકડું, રબર, કપડાં, આદિ વિદ્યુતના સુવાહક છે તથા તાપ (ઉષ્મા)ના પણ કુવાહક છે, જ્યારે લોઢું, તાંબુ, વગેરે ધાતુ વિદ્યુતના સુવાહક છે. (૨) લાકડું આદિ જ્વલનશીલ હોવાથી જ્વલનબિંદુ પર ઑક્સિજનનો યોગ મળે ત્યારે તરત સળગી ઊઠે છે. લોઢું વગેરે ધાતુ સાધારણ તાપમાન પર બળતી નથી, ફક્ત ગરમ થાય છે. ઘણાં વધારે તાપમાને પણ જો ઑક્સિજન તેને ન મળે તો ધાતુ ગરમ થઈને પ્રકાશિત થઈ જાય છે, તથા પિગળનાંક બિંદુ પર પ્રવાહી થઈ જાય છે, બળતી નથી. (૩) માટી, ધૂળ, પૃથ્વી (પથ્થર આદિ) વિદ્યુતના સુવાહક છે, પણ અગ્નિની દષ્ટિએ અજ્વલનશીલ છે તથા અગ્નિશામક છે. અગ્નિમાં પદાર્થ નાશ પામે છે અથવા ખલાસ થાય છે એમાં પદાર્થના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે. ડૉ. જે. જૈન અનુસાર, “હાઇડ્રોકાર્બન બળતણ બળીને ગેસ રૂપમાં બદલાઈ જાય છે. બીજી જાતનાં બળતણ બળીને ઘનરૂપ (રાખ, વગેરેમાં બદલાઈ જાય છે. આ રાખ વગેરે non-fuel છે એટલે બળતણ નથી હોતાં. રાસાયણિક ક્રિયા દ્વારા બળતણનું પર્યાય (૩૫) બદલાય છે. ચકમક ઘર્ષણની અગ્નિમાં પહેલાં ઘર્ષણથી ગરમી પેદા થાય છે અને ગરમીથી એ પથ્થરના ઝીણા તૂટેલા કણ “લાલ' રંગના ચમકવા લાગે છે. - પછી ક્યાંથી રાસાયણિક પ્રક્રિયા કરી અગ્નિ પેદા 54 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy