SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. ફક્ત એનું ઉષ્ણાતામાન વધી જાય છે. બહુ વધારે ઉષ્ણતામાન થવાથી ધાતુના પરમાણુથી ઊર્જાનું ઉત્સર્જન પ્રકાશના રૂપમાં થવા લાગે છે. સાથે સાથે થોડા પ્રમાણમાં ઉષ્મા-ઊર્જા પણ ઉત્પન્ન થાય છે, પણ બળવાની ક્રિયા નથી થતી. જો ઉષ્ણતામાન ધાતુના પિગળવાના બિંદુ (melting point) સુધી પહોંચી જાય છે, તો ધાતુ પીગળવા લાગે છે અને પ્રવાહી રૂપ લઈ લે છે. જો ઉષ્ણતામાન વધારવામાં આવે તો આખરે એ વાયુના રૂપમાં પરિણમે છે. આ આખી પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ રાસાયણિક ક્રિયા થતી નથી, ફક્ત ભૌતિક ક્રિયા જ થાય છે, એટલે એનું સધનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુના રૂપમાં પરિવર્તન થાય છે તથા સાથે સાથે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. ભૌતિક ક્રિયાનો અર્થ છે કે ઉષ્ણતામાન વધવાની સાથે ધાતુના અણુગુચ્છો (molecules) ઉત્તેજિત થાય છે અને એની ઝડપ વધી જાય છે. આ ઝડપ પ્રકાશ અને ઉષ્માની ઊર્જાના રૂપમાં બદલાય જાય છે તથા ધાતુ પ્રકાશિત થઈ જાય છે. ધાતુનું પ્રકાશિત થવું ધાતુની અંદર રહેલી ઊર્જાનું ઉત્સર્જન માત્ર છે, એમાં ધાતુ બળતી નથી કે રાખ, ગેસ વગેરે પેદા થતા નથી. પાછી ધાતુ જ્યારે ઠંડી થાય છે ત્યારે પાછું પોતાનું અસલી રૂપ મેળવી લે છે. - એટલે જેવી હતી એવી થઈ જાય છે. અગ્નિમાં બળતણ બળે છે ત્યારે મૂળ બળતણ ખલાસ થઈ જાય છે. એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. બળતણનું રૂપાંતરણ રાખ, ગેસ આદિ પદાર્થોના રૂપમાં થાય છે અને સાથે સાથે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. અગ્નિની પ્રક્રિયા પછી બળતણ ફરી પોતાનું રૂપ પ્રાપ્ત નથી કરતું. આ ક્રિયા સ્પષ્ટ રાસાયણિક ક્રિયા છે. જ્યારે ધાતુની ઉપર મુજબની ક્રિયા ફક્ત ભૌતિક ક્રિયા છે. હવે આપણે ઇલેક્ટ્રિક બલ્બમાં પ્રકાશ કરનાર ટંગ્સ્ટનના તારની પ્રક્રિયાને સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે વિદ્યુત-ઊર્જાનું રૂપાંતરણ ઉષ્મા-ઊર્જામાં થવાથી ટંગ્સ્ટન ધાતુ ઊંચા ઉષ્ણતામાન પર પ્રકાશિત થવા લાગે છે. આ આખી પ્રક્રિયામાં ક્યાંય પણ જ્વલન-ક્રિયા અથવા અગ્નિનું પરિણમન થતું નથી. અગ્નિની પ્રક્રિયામાં અનિવાર્ય આવશ્યક ઑક્સિજનનો બલ્બમાં તદન અભાવ છે. એટલે યોગ્ય ઉષ્ણતામાન હોવા છતાં પણ તથા પ્રકાશ અને ઉષ્માનું ઉત્સર્જન થવા છતાં પણ ન તો અગ્નિની પ્રક્રિયા થાય છે, ન તો બળતણ બળ્યા પછી ઉત્પન્ન થનારી રાખ, ગેસની ઉત્પત્તિ થાય છે. અગ્નિ સંબંધી બીજી થોડી જાણવા જેવી વાતો (૧) કેટલીક રાસાયણિક ક્રિયાઓ એવી હોય છે, જેમાં ઉષ્મા વધે છે પણ તેમાં 43 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy