SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા ખાવાનું રાંધવામાં આવે એમાં એટલી બધી ગરમી પેદા કરી શકાય કે પાણીને વરાળમાં બદલી શકાય છે. આ પ્રક્રિયામાં રાંધવાની વસ્તુઓ અગ્નિકાયના સીધા સંસર્ગ-સ્પર્શ (contact)માં નથી આવતી. એટલે સચિત નથી થતી અને ન તો અંતર્ગોળ દર્પણ “તાપ ઊર્જા અને પ્રકાશને પેદા કરે છે. એ તો માત્ર ઊર્જાને ઘનીભૂત કરે છે, એટલે (concave minor) અંતર્ગોળ દર્પણ પોતે પણ સચિત્ત અગ્નિકાય અથવા ચૂલાની ગણતરીમાં આવતું નથી. ઉષ્ણતામાન અને તેઉકાય “કોઈ પદાર્થને ફક્ત ગરમ કરવાથી જ તેમાં તેઉકાયના જીવો પેદા નથી થઈ જતા. એ જ પ્રમાણે પરમ શૂન્ય ઉષ્ણતામાન (Absolute zero)ની સરખામણીમાં દરેક પદાર્થ ગરમ છે. જો કોઈ પદાર્થ (સઘન, દ્રવ્ય, ગેસ)નું ઉષ્ણતામાન આપણા શરીરના ૩૭ સે. ઉષ્ણતામાન કરતા વધારે હોય તો આપણે એ પદાર્થને ગરમ કહીએ છીએ. પણ “તેઉકાય જીવ તો કોઈ પદાર્થ બળે ત્યારે જ પેદા થાય છે.” લાલ ગરમ લોઢું પણ તેઉકાયના જીવ નથી રાખતું, જ્યાં સુધી તે પ્રાણવાયુની સાથે પ્રક્રિયા કરીને “બળવાનું શરૂ નથી કરતું. લુહારનું લાલચોળ લોઢું પ્રાણવાયુ સાથે મળીને બળવાનું શરૂ કરે છે જો કે આવી રીતે બળતું ધીમું બળવાનું છે. ભઠ્ઠીમાં પિગળેલું લાલ લોઢું પ્રાણવાયુની સાથે તરત પ્રક્રિયા કરે છે. એટલે એમાં તેઉકાય પેદા થવાની વધારે સંભાવના છે. ૪૦૦૦ સેન્ટિગ્રેડ સુધી ગરમ લોઢાના પિંડમાં તેઉકાય પેદા થવાની સંભાવના ઓછી છે. એનો પોતાનો રંગ પણ બદલાતો નથી. પણ એ તાપક્રમથી વધારે ઉપર ગરમ કરવાથી એનો રંગ બદલાઈને લાલ રંગ થવાનો શરૂ થાય છે. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે ફક્ત ઉચ્ચ તાપમાન સુધી પહોંચી જવા માત્રથી ત્યાં સુધી કે લાલ ગરમ થઈ જવાથી જ તેઉકાયના જીવ પેદા નથી થતા એને માટે તો એ પદાર્થની સાથે પ્રાણવાયુની રાસાયણિક ક્રિયા કરી ‘બળવું જરૂરી છે. અનુકુળ તાપમાન જ્વલનશીલ પદાર્થને અનુકુળ સંયોગ ન મળે તો અગ્નિની ઉત્પત્તિ નથી થતી. ઑક્સિજનનો સંયોગ હોય પણ યોગ્ય ઉષ્ણતામાન ન હોય તો અગ્નિ પેદા નથી થતો, જેમ કે પેટ્રોલ અતિજ્વલનશીલ પદાર્થ છે જે ખુલ્લી હવાના સંયોગમાં પણ છે, પણ જો જરૂરી ઉષ્ણતામાન મળે તો જ્વલનતા શરૂ નથી * 38 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy