SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. જ્વલનશીલ પદાર્થ ૩. જ્વલનબિંદુ-ઉષ્ણતા ૪. ઉષ્મા અને પ્રકાશનું વિકિરણ આ ચારેયનું એકસાથે હોવું એ અગ્નિની અનિવાર્ય શરતો છે. તાપમાન (Temperature) આપણા શરીરનું ઉષ્ણતામાન ૩૭° સેન્ટીગ્રેડ રહે છે. બીજા પદાર્થો શરીર કરતા કેટલા ઊંચા અથવા નીચા ઉષ્ણતામાન પર છે. એના આધારે એને ઠંડા અથવા ગરમ કહેવાય છે. તાપમાન અણુ, પરમાણુ અને ઇલેક્ટ્રોનની એક ઉશ્કેરાયેલી (excited) અવસ્થાને જાહેર કરે છે. એમાં તાપ-ઊર્જા જરૂરી છે, પણ વધારે ઉષ્ણતામાન હોવા છતાં પણ એમાં તેજસ્કાયના જીવ હોવા જરૂરી નથી. જેમ કે બુઝાએલા ચૂલાની બહુજ ગરમ રાખ. ૧. રાસાયણિક પ્રક્રિયા (Exothermic)થી ઉષ્ણતામાન વધે છે – જેમકે બળવું'. આ પ્રક્રિયા એમાં ભાગ લેનાર પદાર્થોના ગુણો પર આધાર રાખે છે. એમાં ગરમી અને પ્રકાશ બન્ને બહાર નીકળે છે. ધીમે-બળવાની પ્રક્રિયામાં પ્રકાશ બહુ જ થોડો નીકળે છે. જોરથી બળવામાં અથવા જ્વલનશીલ પદાર્થોમાં એ “ગેસ” અવસ્થામાં બદલાઈ જઈને બળે છે, જેને આગની જ્વાળા કહે છે. ૨. ઘર્ષણથી - ગરમી” અને ઇલેક્ટ્રિક ચાર્જ પેદા થાય છે. શું પેદા થશે અને કેટલો પ્રમાણમાં પેદા થશે - એ ઘર્ષણમાં ભાગ લેનારા પદાર્થોના ગુણો પર આધાર રાખે છે. જેમકે ચકમકનો પથ્થરમાં પથ્થર સપાટીનું ઉષ્ણતામાન વધે છે. વાદળોમાં એકમેકના ઘર્ષણથી વીજળીનો ચાર્જ પેદા થાય છે. બન્ને હથેળીઓને ઘસવાથી એનું ઉષ્ણતામાન વધી જાય છે. ૩. તાપ-કિરણોનું શોષણ – સૂર્યના પ્રકાશ અને ગરમીને પૃથ્વી ચૂસી લે છે. જ્યારે પૃથ્વી સૂર્યની સામે હોય છે. એનાથી પૃથ્વીનું ઉષ્ણતામાન વધે છે – પૃથ્વી પરના ખાસ કરીને ઘન અને પ્રવાહી પદાર્થોનું. ગેસ પદાર્થોનું તાપમાન conduction અને convection ની ક્રિયાથી વધે છે. પૃથ્વી પરના સુચાલક પદાર્થોનું ઉષ્ણતામાન જલદી વધી જાય છે. રાત્રે ગરમ પૃથ્વી પોતાની ગરમીને આકાશમાં છોડીને કરીને પોતાને પાછી ઠંડી કરે છે – દિવસના વખતમાં પણ ગરમ અને પ્રકાશિત પૃથ્વી પોતે પણ આકાશમાં (emit) પ્રકાશ અને તાપ (radiate) કરે છે. પ્રકાશ અને તાપનું ફક્ત “પરાવર્તન” કરવામાં આવે છે, એનો અર્થ છે કે સૂર્યના કિરણોને પોતાની અંદર ગ્રહણ કરીને ગરમી અને પ્રકાશનું ઉત્પાદન નથી કરાતું. એ જ પ્રમાણે સૂર્યના કિરણોને અંતર્ગોળ પરાવર્તક (concave reflection) ઘનીભૂત કરી શકાય છે. સૂર્ય કૂકર (solar cooker)માં આ વિધિથી સૂર્યના કિરણો 37 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy