SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અંગારા બહુજ ઓછી ગરમી ઉત્પન્ન કરે છે, ઑક્સિજનનું મળવું “તાપ' ઊર્જાનું ઉત્પન્ન થવું અને એનો વિકિરણ દ્વારા નાશ થવો આ બધામાં રાખનું આવરણ એક સંતુલન બનાવી દે છે. એટલે અંગારા લાલ રહીને ધીમી ગતિથી બળે છે. - ઘર્ષણથી અગ્નિ : ચકમક જેવા પથ્થરને જ્યારે એકબીજા સાથે ઘસીએ છીએ, ત્યારે ઘર્ષણથી ગરમી પેદા થાય છે તથા પત્થરના નાના નાના કણ ટૂટીને લાલ ગરમ થઈ જાય છે. આ ગરમ કણ આસપાસની હવામાં ચિનગારીના રૂપમાં બળવા લાગે છે. આવા ઘર્ષણમાં વિદ્યુતભાર પણ પેદા થાય છે. આ પ્રમાણે “અગ્નિ' કોઈ ક્વનલશીલ પદાર્થનો પ્રાણવાયુ (ઑક્સિજન)ની સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા “સ્વયંભૂ પોતાની મેળે) ચાલવાવાળી ‘બળવા’ની પ્રક્રિયા છે. આનુષંગિક (by product) રૂપમાં એની સાથે ઉષ્મા, પ્રકાશની ઊર્જાનું વિકિરણ થાય છે. સાધારણ અગ્નિમાં પદાર્થનું જ્વલન-અંક સુધી ગરમ થઈ જવું જરૂરી છે. આ અંક સુધી પહોંચ્યા પહેલાં જ પદાર્થનું ગેસ રૂપમાં બાષ્પીભવન થઈ શકે છે. આ પ્રકારના પદાર્થના બળવાની પ્રક્રિયા બહુજ પ્રચંડ થઈ જાય છે, જેમકે પેટ્રોલ, બળવાની ગતિ પદાર્થના એ ગુણ પર નિર્ભર કરે છે કે એ જ્વલનશીલ છે અથવા અતિજ્વલનશીલ. બળવાની પ્રક્રિયાને વધુ ગતિમાન કરી શકાય છે. અગર તેમાં પ્રયુક્ત પ્રાણવાયુની આ પૂર્તિને નિયંત્રિત કરી શકાય. તેજ હવા આપીને બળવાની પ્રક્રિયાને તેજ કરી શકાય. અગ્નિ કોઈપણ રૂપમાં હોય પણ એને બાળવામાં સહયોગ કરવાવાળો વાયુ (જેમાં પ્રાણવાયુ છે. જો ન મળે તો અગ્નિ બળશે નહિ. જો બળતી અગ્નિને પ્રાણવાયુ મળવો બંધ થઈ જાય તો એ તરત બુઝાઈ જશે. બળતા દીપક પર ઢાંકણું અથવા વાસણ રાખીએ તો આગ થોડીવારમાં બુઝાઈ જશે, કારણ કે ઑક્સિજનનો પૂરવઠો બંધ થઈ ગયો છે. જ્યાં સુધી ઢાંકણાંની પાછળ બચેલો ઑક્સિજન પૂરો નહીં થઈ જાય, ત્યાં સુધી દીપક બળતો રહેશે. પછી એ તરત બુઝાઈ જશે. બળતણ ત્યાં સુધી જ બળે છે, જ્યાં સુધી એને ઑક્સિજન મળતો રહે છે. - આ એક સાર્વત્રિક નિયમ છે. બળતા અંગારા પર ધૂળ, માટી, પાણી વગેરે નાખીએ તો અંગારા બુઝાઈ જાય છે. આમ કરવાથી ઑક્સિજનનો સંપર્ક તૂટી જાય છે. આ બધાં પદાર્થ અગ્નિશામક છે, કારણકે એ પોતે અજ્વલનશીલ છે. ઑક્સિજન સિવાયના કૂવામાં રહેલા નાઇટ્રોજન, ઓર્ગોન (Argon), નિયોન (Neon), ઝેનોન (Xenon) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy