SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અનિવાર્ય છે - કાર્બન, હાઇડ્રોજન અને હાઇડ્રો-કાર્બન” બળતણ અથવા જ્વલન-શીલ પદાર્થ ત્રણે અવસ્થાઓમાં હોઈ શકે છે. ઘન, પ્રવાહી અથવા ગેસ (વાયુ).૭ દહન-ક્રિયા એક પ્રકારની રાસાયણિક ક્રિયા હોવાથી આ ક્રિયાની ઉત્પત્તિ પણ એટલી શીઘ્રતાથી અને તીવ્રતાથી થાય છે. જેટલી એમાં ભાગ લેવાવાળા બધા પદાર્થો (કાર્બન, ઑક્સિજન વગેરે)માં સંપર્કની નિકટતા હોય છે તથા એનો સંપર્કક્ષેત્ર વિશાળ હોય છે. એટલે જ્વલનશીલ પદાર્થોનો ઑક્સિજનની સાથે સંયોગ કંબશ્ચન સહિત બધા પ્રકારની રાસાયણિક ક્રિયાઓ ઉપરોક્ત સિદ્ધાંત પર આધાર રાખે છે. જ્વલનશીલ પદાર્થ ભલે ઘન, પ્રવાહી અથવા ગેસ અવસ્થામાં હોય પણ શુદ્ધ ઑક્સિજન અથવા ઑક્સિજન-યુક્ત હવા (વાયુ) જેનાથી કંબશ્ચન થાય છે. એ હંમેશાં ગેસ અવસ્થામાં જ હોવી જોઈએ.૮૯ ૮૮ સઘન (solid) બળતણ અથવા જ્વલનશીલ પદાર્થોમાં પ્રાકૃતિક બળતણના રૂપમાં લાકડી, કોલસા, લિગ્નાઇટ વગેરેનો પ્રયોગ થાય છે. પ્રવાહી પદાર્થોમાં પેટ્રોલ તથા વાયુમય પદાર્થોમાં પ્રાકૃતિક વાયુનો પ્રયોગ થાય છે. વૈજ્ઞાનિકોએ પદાર્થોને બે પ્રકારમાં વહેંચ્યા છે. ૧. જ્વલનશીલ (combustible) ૨. અજ્વલનશીલ (Incombustible) લાકડી, કોલસા, ઘી, તેલ, રસોઈમાં વપરાતો ગેસ, ઘાસ, રૂ, કપડાં, કાગળ વગેરે જ્વલનશીલ પદાર્થો છે. એમાં પણ પેટ્રોલ, કેરોસીન, ડીઝલ વગેરે અતિજ્વલનશીલ (highly inflammable) છે. બીજી બાજુ ધૂળ, માટી, પત્થર, પાણી વગેરે અજ્વલનશીલ છે. વાયુઓમાં કાર્બનડાયોકસાઈડ (CO,) જેવો વાયુ પણ અજ્વલનશીલ છે. આ બધાનો ઉપયોગ અગ્નિશામક પદાર્થના રૂપમાં છે. મોટા ભાગના જ્વલનશીલ પદાર્થોમાં મુખ્યપણે કાર્બન, હાઇડ્રોજન વગેરે ઘટક તત્વો હોય છે, જે સ્વભાવથી જ બહુ જલદી કંબશ્ચયનની ક્રિયા કરી શકે છે. કંબન અથવા દહનની પ્રક્રિયા આ પ્રમાણે છે. ૧. જ્વલનશીલ તત્ત્વ હાજર હોવું જોઈએ. ૨. એની સાથે પ્રાણવાયુ (ઑક્સિજન)નો સંપર્ક હોવો જોઈએ. ૩. અમુક નિર્ધારિત ઉષ્ણતામાન પ્રાપ્ત થવું જોઈએ. એક ચોક્કસ ઉષ્ણતામાન ૫૨ જ્યારે કોઈપણ પદાર્થ ઑક્સિજન/હવાની સાથે પ્રક્રિયા કરીને ‘બળવા' લાગે છે, ત્યારે એ ઉષ્ણતામાન ‘જ્વલન-બિંદુ’ અથવા ‘વિસ્ફોટક બિંદુ' કહેવાય છે. પદાર્થના બળવામાં હવા/પ્રાણવાયુની Jain Educationa International 32 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy