SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અનિવાર્યતા બતાવવામાં આવી છે. આ કયા પ્રકારનો વાયુ છે જેના વગર તેઉકાયિક જીવ જીવિત ન રહી શકે? એની મીમાંસા પણ અપેક્ષિત છે. આચારાંગ-ભાષ્યમાં એને પ્રાણવાયુ બતાવ્યો છે. ૩ - ત્રીજું કારક છે – કયો પદાર્થ અગ્નિ પેદા કરી શકે છે, કયો નહીં? એટલે કે શું બધા પદાર્થ અગ્નિને ઉત્પન્ન કરવામાં શક્તિમાન છે? - આ મીમાંસા પણ કરવી જોઈએ. પહેલાં આપણે વિજ્ઞાનના આધાર પર અગ્નિની પ્રક્રિયાને સમજીએ અને પછી એની મીમાંસા કરીએ, તો આખો વિષય બરાબર સ્પષ્ટ થશે. જ્યારે-જ્યારે કોઈપણ પ્રકારની અગ્નિ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે જે પ્રક્રિયા બને છે એને સામાન્ય રીતે ‘બળવું” અથવા “દહન'ના રૂપમાં થનારી એક રાસાયણિક ક્રિયાના રૂપમાં જાણી શકાય છે. એ પ્રક્રિયાને વિજ્ઞાનમાં “કંબશ્ચન' (combustion) એટલે દહન” કહેવાય છે. વિજ્ઞાન દ્વારા અગ્નિની વ્યાખ્યા પાશ્ચાત્ય જગતમાં વૈજ્ઞાનિક વિકાસથી પહેલા અગ્નિના વિષયમાં ઘણો અંધવિશ્વાસ હતો અને જુદી-જુદી માન્યતાઓ ફેલાયેલી હતી. એને “દેવતા' રૂપ માનીને એની પૂજા આદિ કરવાનો ઉલ્લેખ માનવ-સભ્યતાના આદિમ યુગના ઇતિહાસમાં પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિક ક્ષેત્રમાં રાસાયણિક વિજ્ઞાનના વિકાસની સાથે “અગ્નિની સંપૂર્ણ વ્યાખ્યા લેવોઇસિયર (loavoisier) નામના રસાયણ વૈજ્ઞાનિકે પ્રસ્તુત કરી અને ભાવી શોધખોળની દિશાઓ સ્પષ્ટ થતાની સાથે લાગ્યું કે ઑક્સિજનની સાથે જ્વલનશીલ પદાર્થના રાસાયણિક સંયોગ અને ઉષ્માના વિકિરણની પ્રક્રિયા જ કંબશ્ચન છે તથા એના મૂળમાં અભિ ક્રિયામાં ભાગ લેનારા પદાર્થોનું “આયનીકરણ' ionization) જવાબદાર છે.૮૫ આ પ્રમાણે અગ્નિ એક રાસાયણિક પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક શબ્દાવલિમાં એનું નામ છે - કંબશ્ચન અથવા દહનક્રિયા. એની સ્પષ્ટ પરિભાષા આ પ્રમાણે છે. દહનક્રિયાનો અર્થ છે જ્વલનશીલ પદાર્થો (બળતણ)નો ઑક્સિજનની સાથે રાસાયણિક સંયોગ તથા ઉષ્માનું બહાર નીકળવું. કંબશ્ચનમાં વાપરવામાં આવેલા બળતણ (જ્વલન પદાર્થો)ની પરિભાષા અને વ્યાખ્યા કરતાં બતાવવામાં આવ્યું છે - “બળતણ એ એવો પદાર્થ છે, જે સળગાવવાથી-એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવવાથી અને એની સાથે રાસાયણિક ક્રિયા કરવાથી-ઉષ્મા પેદા કરે છે. બળતણમાં નીચેના જ્વલનશીલ મૂળ તત્વોમાંથી એક અથવા અનેકનું હોવું 31 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy