SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગ નિર્યુક્તિની માફક આકાશીય વિદ્યુત, વજ (અશનિ) વગેરેને શુદ્ધ અગ્નિ અંતર્ગત બતાવ્યા છે. એના આધાર પર એમ લાગે છે કે દસ વૈકાલિકમાં બતાવેલા “અગ્નિમાં અયપિણ્ડ લોહ-પિંડ)માં પ્રવિષ્ટ અગ્નિને રાખવામાં આવ્યો હતો, જેને પ્રજ્ઞાપનામાં શુદ્ધાગ્નિના રૂપ માનવામાં આવ્યો તથા ફક્ત “અગ્નિનો ભેદ હટાવીને ઉલ્કા, આકાશની વીજળી, અશનિ, નિર્ધાત આદિને સ્વતંત્ર ભેદના રૂપમાં બતાવ્યાં જે દસ વૈકાલિકની વ્યાખ્યામાં “ઉલ્કા' - ગગનાગ્નિમાં હતા તથા આચારાંગ નિર્યુક્તિ અને દિગંબર ગ્રંથ મૂલાચારમાં “શુદ્ધાગ્નિમાં હતા. દસ વૈકાલિકની “શુદ્ધાગ્નિમાં “નિરિબ્ધન અગ્નિના રૂપમાં વ્યાખ્યાનો કોઈ બીજો અર્થ નથી નીકળતો. અગત્યસિંહ કૃત ચૂર્ણિમાં “એતે વિરેસે મોસુણ સુદ્ધાગણિ” કહીને બાકીના બધાનો સમાવેશ શુદ્ધાગ્નિના રૂપમાં જ ઉલ્કા, વિદ્યુત, અશનિ, નિર્ધાત, આદિનો સ્વીકાર કરી “નિરિન્ધન અગ્નિ” અર્થ પણ થાય છે. જેમ અપકાયિક જીવોમાં “શુદ્ધોદકીથી “અંતરિક્ષજળને લીધો છે અને વાયુકાયિકમાં શુદ્ધ વાયુમાં મંદ, શાંત અથવા આર્ટવાયુને લીધો છે એથી “શુદ્ધ'નો અર્થ છે – પ્રાકૃતિક. એ પ્રમાણે “શુદ્ધાગ્નિમાં પણ ‘ઉલ્કા આદિ' (ગગનાગ્નિ)ને માનીએ તો ઉલ્કા આદિના ભેદ શુદ્ધાગ્નિમાં આવી જાય, જેમ આચારાંગ નિર્યુક્તિમાં “અગ્નિ'ના રૂપમાં એને માન્યું છે અથવા મૂલાચારમાં “શુદ્ધાગ્નિ'ના રૂપમાં માનવામાં આવ્યું છે. સંઘર્ષ-સમુસ્થિત અગ્નિના ઉદાહરણમાં અરણીની લાકડીના ઘર્ષણનું ઉદાહરણ છે. - આદિ, શબ્દથી બે ચકમક-પત્થરોના સંઘર્ષને લેવાય છે. સૂર્યકાંત મણિ સંભવતઃ અંતર્ગોળ (concave) લેન્સ જેવો મણિ છે જેના પર તીવ્ર સૂર્વિકરણોને કેન્દ્રિત કરી અગ્નિ પેદા કરી શકાય છે. આ બધા પ્રકારની અગ્નિની ઉત્પત્તિ જીવોની યોનિ બનવાથી હોય છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પણ તેજસ્કાયની જીવ-યોનિની ઉત્પત્તિમાં કારણરૂપ પૌદ્ગલિક ઉપાદાનને સમજ્યા વગર તેઉકાયિક જીવના ઉપરના બધા પ્રકારોમાં રહેલી સમાનતા અથવા લાક્ષણિકતા સ્પષ્ટ થતી નથી. તેઉકાયિક જીવોની યોનિમાં ઉષ્ણતાની અનિવાર્યતા બહુ સ્પષ્ટતાથી બતાવવામાં આવી છે અને પ્રત્યક્ષ જાણી શકાય છે - પણ એમાં “ઉષ્ણતા'નો અર્થ થશે સામાન્ય તાપમાનથી તીવ્ર તાપમાન. પણ ઉચિત તાપમાન વિભિન્ન પદાર્થોના સંબંધમાં વિભિન્ન માપ થશે. કેટલા તાપમાન પર કયો પદાર્થ અગ્નિની યોનિ બની શકે છે, આ મીમાંસા આવશ્યક છે. એના સિવાય “વાયુની ઉપસ્થિતિની પણ અગ્નિકાયિક જીવો માટે 30 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy