SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ પરિસ્થિતિઓમાં કોઈ એક વ્યક્તિનો સ્પર્શ કરવાથી એનામાં રહેલા વીજળીના પ્રવાહથી બીજી વ્યક્તિને ઝાટકો (electric shock) લાગે છે. પણ આનું પ્રમાણ બહુ ઓછું હોવાથી સામાન્ય પરિસ્થિતિમાં એનો અનુભવ થતો નથી. એનો પ્રવાહ ગમે તેટલો ઓછો હોય, પણ એ તો સ્પષ્ટ છે કે આપણે એ વીજળી ઊર્જાનો ત્યાગ નથી કરી શકતા. જ્યાં સુધી મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓ થતી રહે છે, ત્યાં સુધી શારીરિક વીજળીની ઊર્જાથી આપણે બચી શકીએ નહીં. ટૂંકમાં કહી શકાય કે માણસના શરીરમાં સતત ચાલતી વિદ્યુત ક્રિયાઓ જીવનની અગત્યની ક્રિયાઓ છે, જેના વગર જીવન કદી ટકી શકતું નથી. જૈવ વિદ્યુત (Bio-electricity) અથવા પ્રાણ-ઊર્જા : ડૉ. રાધાશરણ અગ્રવાલે પોતાના શોધલેખ “જૈવ-વિદ્યુત અથવા પ્રાણ ઊર્જામાં લખ્યું છે - “શરીરની બધી જ હલનચલન વગેરે ક્રિયાઓ અને મગજની ક્રિયાઓનો એક માત્ર સ્રોત પ્રાણ અથવા જૈવ-વિદ્યુત છે. આજ જૈવ-વિદ્યુત જીવન તત્ત્વ બનીને રોમરોમમાં વ્યાપ્ત છે. એમાં ચેતના તથા સંવેદના – બંને તત્ત્વો હોય છે. જેમ એક કારખાનું ભૌતિક વિદ્યુત ઊર્જાની સહાયથી ચાલે છે, એવી જ રીતે માણસની બધી જ ક્રિયાઓનો આધાર આ જૈવ-વિદ્યુત જ છે.” શરીરની અંદર રહેલી જૈવ વિદ્યુતની માત્રા પર જ વ્યક્તિનો ઉત્કર્ષ અને વિકાસનો આધાર રાખે છે. કોઈ ખાસ વ્યક્તિમાં જો જૈવ-વિદ્યુત સામાન્ય વ્યક્તિ કરતાં વધારે હોય છે તો એ પ્રતિભાશાળી, વિદ્વાન, મહાન અને પ્રખર બુદ્ધિશાળી હોય છે. પણ કોઈ વ્યક્તિમાં આ જૈવ-વિદ્યુતની માત્રા ઓછી હોય તો એક વ્યક્તિ મંદબુદ્ધિ હોય છે અને એને કેટલાય જાતના માનસિક રોગો ઘેરી લે છે. “આ જૈવ વિદ્યુતનો સામાન્ય ઉપયોગ શરીરને ગતિશીલ (પ્રવૃત્તિમય) અને મન તથા મગજને સક્રિય રાખવામાં થાય છે. પરંતુ એનો વિશેષ અને વધુ ઉપયોગી પ્રયોગ મનોબળ, સંકલ્પ-બળ અને આત્મબળ વધારવામાં થાય છે. આ જૈવવિદ્યુત શક્તિને આવી વિશેષ દિશા અથવા ક્ષેત્રમાં લગાવવાને લીધે જ એ વ્યક્તિ વિશેષ પ્રતિભાશાળી અને અદ્વિતીય આત્મબળનો સ્વામી બની જાય છે. આજ જૈવ-વિદ્યુતની શક્તિ સાધના દ્વારા સૂક્ષ્મરૂપમાં બદલાઈને તથા એકત્રિત થઈને પ્રાણ ઊર્જા અથવા આત્મિક ઊર્જા બની જાય છે. “જૈવ-વિદ્યુત-શક્તિ ભિન્ન ભિન્ન દેશોમાં ભિન્ન ભિન્ન નામોથી ઓળખાય છે. ચીનમાં “ચો એનર્જી' જાપાનમાં “કી એનર્જી', યુરોપમાં અને 14 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy