SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગમાંથી જાગ્રત અવસ્થામાં આંખો બંધ રાખીને જે વીજળિક પ્રક્રિયા નોંધી શકાય છે તેને આલ્ફા તરંગ (Alfa waves) કહે છે. તેની તરંગની ફ્રિક્વન્સી (Frequency) ૭થી ૧૩ હર્ટઝ હોય છે. છેક આગળના ફ્રન્ટલ કોર્ટેક્સ પરથી સામાન્ય રીતે બીટા રિધમ ૧૪થી ૪૦ હર્ટઝ નોંધી શકાય છે. થીટા પ્રક્રિયા ૪થી ૭ હર્ટઝ ટેમ્પોરલ ભાગમાં મળી આવે છે. ડેલ્ટા એક્ટિવિટી એ પુખ્ત વ્યક્તિમાં હંમેશાં અસામાન્ય હોય છે અને ક્યારેક નિદ્રામાં તે બાળકોમાં નોંધી શકાય છે. બાકી સામાન્ય રીતે ડેલ્ટા પ્રક્રિયા એ મગજની કોઈ માંદગીની નિશાની હોય છે. મગજમાં વધુ પડતો વીજળિક પ્રવાહ પેદા થવો, વાઈ (Epilapsy) આ ચેતાતંત્રની બીમારી છે.” આધુનિક વિજ્ઞાન દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંત છે કે “માણસની પ્રત્યેક શારીરિક પ્રવૃત્તિ માણસમાં રહેલી ઇલેક્ટ્રિસિટી (વીજળી)ના પ્રયોગથી જ થાય છે.” આ સિદ્ધાંત સ્વીકાર કરવામાં જૈન માન્યતાનો કોઈ અસ્વીકાર થતો નથી, એટલું જ નહીં પણ આ જૈન માન્યતાને પુષ્ટિ મળે છે કે “ઔદારિક શરીરની પ્રત્યેક પ્રવૃત્તિમાં તૈજસ શરીર અથવા પ્રાણનો પ્રયોગ થાય છે.” આમ કહેવું એ લગભગ વૈજ્ઞાનિક સિદ્ધાંતનું સમાંતર કથન કહી શકાય. જૈન માન્યતાનું “તેજસ શીર” અથવા “પ્રાણ શક્તિ” અને વૈજ્ઞાનિક માન્યતાની “ઇલેક્ટ્રિક ઊર્જા” આ બંનેની પારસ્પરિકતા પોતાની મેળે સિદ્ધ થઈ જાય છે. જૈન સિદ્ધાંતમાં છ પર્યાપ્ત અને દસ પ્રાણનું પ્રતિપાદન પણ આ વાતનું સમર્થન કરે છે. વિજ્ઞાને મગજના કોષોની પ્રક્રિયાને તદ્દન સ્પષ્ટ કરી છે. ન્યૂરોન કોષો પરસ્પરમાં જે ઇલેક્ટ્રિક સર્કિટ બનાવે છે તેને લીધે માણસ બુદ્ધિથી વિચાર વગેરે કરી શકે. મગજમાં ન્યૂરોનોની સંખ્યા લગભગ ૧૦ કરોડથી પણ વધારે હશે. આ બધા ન્યૂરોનોની પરસ્પર સંભાવિત સર્કિટોની સંખ્યા (૧૦ની ઉપ૨ ૮૦૦ શૂન્ય (મીંડા) મૂકીએ) એટલી મોટી સંખ્યા આવે છે. દુનિયાનો બુદ્ધિમાનથી બુદ્ધિમાન માણસ પણ આના ૧ ટકાથી વધારે સર્કિટ નથી બનાવી શકતો. જન્મ લીધા પછી બાળક જે કાંઈ શીખે છે, તે આવી જ રીતે નવી નવી સર્કિટો બનાવીબનાવીને જ્ઞાન અને બુદ્ધિનો વિકાસ કરતો જાય છે. મગજની જેમ હૃદય, સ્નાયુ વગેરે અવયવોના વિદ્યુત તરંગોનું માપ ઇ.સી.જી., (Electro cardiogram) ઇ.એમ.જી. (Electric mayo-gram) વગેરે યંત્રો વડે કરી શકાય છે. ચામડીની રોગ નિરોધક ઊર્જાનું અંકન જી.એસ.આર. (Galvanic skin response) દ્વારા માપી શકાય છે. Jain Educationa International 13 For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy