SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. માણસના શરીરમાં ઇલેક્ટ્રિક ઊર્જા માણસના શરીરમાં ચેતાતંત્ર સૌથી અધિક મહત્ત્વપૂર્ણ છે. મગજ, કરોડરજ્જુ અને તેમાંથી નીકળતી ચેતાઓ તથા સ્નાયુઓ સાથેનું તેમનું જોડાણએ આખી કાર્ય રચનાને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ કહે છે.૨૭ માણસના આખા શરીરનું સંચાલન ચેતાતંત્ર કરે છે. આમાંથી કેન્દ્રીય ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુમાં છે, તથા ક્રિયાતંતુ અને જ્ઞાનતંતુની જાળ આખા શરીરમાં ફેલાયેલી હોય છે. ચેતાતંત્રના કોષોને ન્યૂરોન કહેવામાં આવે છે. જ્ઞાનતંતુ ન્યૂરોન (કોશિકાઓ) દ્વારા બધી ઇન્દ્રિયોની માહિતી કેન્દ્રીય તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે અને (મોટર-ન્યૂરોનો) દ્વારા કેન્દ્રીય તંત્રના હુકમો સ્નાયુઓને સંચાલિત કરવા માટે શરીરના બધા ભાગોમાં પહોંચાડાય છે. આ બધી ક્રિયાઓનું સંચાલન વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી દ્વારા થાય છે.૨૮ ડૉ. સુધીર વી. શાહ (ગુજરાતના પ્રસિદ્ધ ન્યૂરો ફિઝિશિયન) “મગજ અને જ્ઞાનતંતુના રોગો” નામના પુસ્તકમાં લખે છે. ‘‘મગજના કોષોમાં એક જાતનો વિદ્યુત પ્રવાહ ઉદભવ્યા કરતો હોય છે. જેમાં એક સાતત્ય છે, લય છે, આ એક વીજળિક પ્રક્રિયા છે. આ પ્રવાહ રાસાયણિક રીતે એક કોષમાંથી બીજા કોષમાં પહોંચે છે. અને આખી નર્વસ સિસ્ટમમાં ન્યૂરો ટ્રાન્સમિટર અને રિસેપ્ટરોનું એક અદ્ભુત નેટવર્ક છે જે એક સેકન્ડમાં હજારમાં ભાગમાં એક માહિતી એક ભાગથી બીજા ભાગ સુધી પહોંચાડી શકે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. મગજના કોષો અન્ય કોષોની જેમ પોતાનું ચયાપચય સંભાળે છે. આ એક જૈવિક (બાયોલોજિકલ) પ્રક્રિયા છે.'' ‘ટેલિપથીની જેમ એક મગજ બીજા મગજ સુધી સંદેશાની આપલે કરે છે. તેને ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા કહી શકાય. મગજમાં પેદા થતા વિદ્યુત તરંગો ને ઇ.ઇ.જી.(Electro-encephelo-gram) દ્વારા નોંધી શકાય છે. મગજના પાછલા Jain Educationa International 12 For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy