SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જવાથી સાધુને દોષ લાગતો નથી. સહજ-નિષ્પન્ન લાઇટ આદિનો પ્રકાશ કામમાં લેવાથી સાધુને દોષ લાગતો નથી, એટલે આ પ્રકાશના કાર્યોનું વિધાન તેરાપંથની મર્યાદામાં ચિંતનપૂર્વક કરેલું છે. “શ્રુતધર (મુનિ) ગવેષણા કરીને શ્રુતના ઉપયોગથી નિર્દોષ સ્વરૂપ જાણ્યા પછી જે ગ્રહણ કરે છે, એ કેવલીને અશુદ્ધ (દોષયુક્ત) જોઈને પછી કેવલી એનો ઉપયોગ કરે છે, અન્યથા શ્રુત અપ્રમાણિત થઈ જાય છે.” - આ ઉદાહરણ જ બહુ જ સ્પષ્ટતાથી શ્રુતજ્ઞાનના નિર્ણયને કસોટીઓને કસીને પછી શુદ્ધ બતાવે છે. વિદ્યુત-વિષયક અવધારણા પર જે ચિંતન પ્રસ્તુત કર્યું છે, એ નિર્જીવ રૂપમાં એને સિદ્ધ કરે છે. આ શ્રુતજ્ઞાનના આધાર જ વ્યવહારમાં સ્વીકાર્ય છે. (આ પહેલા પણ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે જ્યાં સુધી પ્રામાણ્યનો સંબંધ છે, તેરાપંથ મૂળ ૩૨ આગમોને જ પ્રમાણના રૂપમાં સ્વીકાર કરે છે. પચાંગીનું પ્રમાણ્ય માન્ય નથી. પ્રશ્ન ૩૬ : પિંડનિર્યુક્તિમાં ‘નં સંયિમાવો વળવીસ' (ગા. ૫૨૧) એમ કહીને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલી અન્ય એક વાત અનિવાર્યપણે અહીં યાદ આવી જાય છે. ગોચરી વહોરવા ગયેલા સાધુને ‘સામે રહેલી ભોજનાદિ સામગ્રી સચિત્ત છે કે અચિત્ત ?’ તેવી શંકા પડે અને તે શંકાનું નિવારણ ન થવા છતાં તે ચીજને વહોરે તો તે સાધુને સચિત્તભક્ષણનિમિત્તક કર્મબંધ થાય છે, નહિ કે અચિત્તભક્ષણનિમિત્તક લાભ. તે દૃષ્ટિકોણથી વિચારતાં કહી શકાય કે ઉપરોક્ત અનેક આગમ પ્રમાણ વગેરે દ્વારા કોઈ વ્યક્તિને ‘ઇલેક્ટ્રિસિટી અને વિદ્યુતપ્રકાશ બન્ને સચિત્ત છે’ તેવો નિર્ણય ન થવા છતાં ‘તે સચિત્ત છે કે અચિત્ત ?' આવી શંકા પણ થાય તો શંકાગ્રસ્ત તેવી વ્યક્તિને માઇક-લાઇટ વગેરે વાપરવાથી તેઉકાય વિરાધનાનિમિત્તક કર્મબંધ જ થાય. આટલી વાત તો નિશ્ચિત જ છે. અત્યાર સુધી અહીં જે વિચારણા કરવામાં આવેલ છે તેનાથી પ્રાજ્ઞોને ઇલેક્ટ્રિસિટી અને બલ્બપ્રકાશ વગેરેની સજીવતા અંગે શંકા પણ ન થાય તેવું શું શક્ય જણાય છે? - ઉત્તર ૩૬: પહેલા તો શંકાને સ્થાન જ નથી. ઉપરના પૂરા વિવેચનથી સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિસિટી પોતે જ પોતાનામાં ફક્ત પૌદ્ગલિક પરિણમન જ છે, તો પછી શંકાને સ્થાન જ ક્યાં છે? જ્યાં સુધી લાઇટ, માઇક વગેરેનો સંબંધ છે, એને માટે જેમ ઉપર સ્પષ્ટ કર્યું છે કે જો સાધુ કરે-કરાવે-અનુમોદનાથી મુક્ત રહે છે તો પછી એને કેવી રીતે એના દોષી મનાય? Jain Educationa International 231 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy