SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શકે તે માટે મોર્ડન સાયન્સના પણ સૈદ્ધાન્તિક વચનો પ્રસ્તુત વિચારણામાં આધારરૂપે બતાવેલ છે. બંને એંગલથી વિચારણા કરતાં અમને ઈલેક્ટ્રિસિટી અને વિદ્યુત બલ્બનો પ્રકાશ – આ બંને સચિત અગ્નિકાયરૂપે જ અસંદિગ્ધ રીતે જણાય છે.” ઉત્તર ૩૫ઃ કોઈ વસ્તુની સજીવતા-નિર્જીવતાને સર્વજ્ઞ દ્વારા કહેલા નિર્દેશોના આધાર પર અસર્વજ્ઞ જાણી શકે છે. જેમ ગરમ પાણી અથવા શસ્ત્રપરિણત પાણી સાધુ ગ્રહણ કરે છે, એ વખતે સાધુ સર્વજ્ઞ દ્વારા નિર્દિષ્ટ કસોટીઓનો આધાર પર બને છે. એ જ પ્રમાણે અગ્નિકાય માટે સર્વજ્ઞો દ્વારા નિર્દિષ્ટ કસોટીઓને કસીને એ નિર્ણય લેવો અસર્વજ્ઞ માટે કોઈ મુશ્કેલ નથી કે વિદ્યુત (ઈલેક્ટ્રિસિટી) પોતાનામાં નિર્જીવ છે. એના કયા પ્રયોગમાં અગ્નિકાય અથવા વાયુકાય અથવા ત્રસકાય અથવા અન્ય કોઈ જીવની હિંસા થઈ શકે છે કે નથી થઈ શકતી – એનો નિર્ણય પણ સર્વજ્ઞ દ્વારા બતાવેલી કસોટીઓના આધાર પર ફેરફાર કરી શકાય છે. જેમ હાથ પંખો અથવા પંખાના પ્રયોગ વાયુકાયની વિરાધનામાં સ્પષ્ટ કારણભૂત બને છે એ જ પ્રમાણે વીજળી દ્વારા ચાલતા પંખા પણ વાયુકાયની વિરાધનાનું કારણ બને છે. એટલે સાધુ સ્વયં વીજળીના પંખાને ચલાવે નહિ, ને બીજા પાસે ચલાવે ન ચાલતા પંખાની અનુમોદના કરે. પણ ગુહસ્થો દ્વારા પોતાની સુવિધાથી ચલાવાએલા પંખાની નીચે બેઠેલા સાધુને વાયુકાયની વિરાધનાનો દોષી કેવી રીતે માની શકાય? જો મનથી પણ એનું અનુમોદન એ કરે તો દોષ લાગશે. જૈન સાધુ જે પણ ચીજો ગ્રહણ કરે છે એ અચિત્ત નિર્જીવ છે, એવો નિર્ણય આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત - આ પાંચ વ્યવહારો પર કરે છે. આ વિષયમાં શ્રીમવાચાર્યે બહુ જ સ્પષ્ટ રૂપમાં પ્રતિપાદિત કર્યું છે (જુઓ, ટિપ્પણ સંખ્યા ૪૨) આ આધાર પર તેરાપંથ ધર્મસંઘમાં રાખ અથવા ચૂનાથી બનાવેલું પાણી અચિત્ત માનીને ગ્રહણ કરાય છે. ફળ આદિના સંદર્ભમાં પણ કયું ફળ કઈ સ્થિતિમાં સચિત્ત છે, કઈ સ્થિતિમાં અચિત્ત છે, એનો નિર્ણય કરવા માટે જુદી જુદી કસોટીઓ નિર્ધારિત કરાઈ છે. એ જ પ્રમાણે સેલ દ્વારા ચાલતા ઘડિયાળનો પ્રયોગ યોગ્ય માન્યો છે. ઘણી બધી પ્રવૃત્તિઓ સદોષ નહિ હોય, તો પણ જ્યાં સુધી એને વર્ય માનીએ, ત્યાં સુધી કોઈપણ સાધુ તેરાપંથ ધર્મસંઘમાં એ પ્રવૃત્તિઓ કરી શકતા નથી. એ આધાર પર માઈક, લાઇટ વગેરેના પ્રયોગ સાધુ સ્વયં નથી કરતા. ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે, પણ માઇકમાં સાધુના શબ્દ 230 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy