SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक् परिज्ञायते, न छाद्मस्थिकज्ञानेनेति न व्यवहार-पथमवतरति । अत एव च तृषाडतिपीतानामपि साधुनां स्वभावतः स्वायुः क्षयेणाडचित्तीभूतमति तडागोदकं पानाय वर्धमानस्वामी भगवान् नानुज्ञातवान्, इत्थंभूतस्याडचित्तीभवनस्य छद्मस्थानां दुर्लक्ष्यत्वेन मा भूत् सर्वत्राऽपि तडागोदके सचित्तेडपि पाश्चात्यसाधुनां प्रवृत्तिप्रसङ्ग રૂતિ કૃત્વા” (આચારાંગનિર્યુક્તિ-અધ્યયન-૧ પૃથ્વીકાય(ગા.૧૩ની વૃત્તિ). આ અતિ ઉત્તમ ઐતિહાસિક અને આગમિક આદર્શને નજર સમક્ષ રાખીને, પ્રકાશ-દાહકતા વગેરે તેઉકાયના લક્ષણો જેમાં જણાય છે તેવી ઈલેક્ટ્રિસિટીનો, વિદ્યુતપ્રકાશનો, ઇલેક્ટ્રિસિટી આધારિત તમામ સાધનોનો સર્ગિક વપરાશ સર્વહિંસાના જીવનભર ત્યાગી એવા સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે કરી શકે? - આનાથી ફલિત થાય છે કે – કેવલજ્ઞાનથી નિર્જીવ તરીકે નિશ્ચિત થતું પાણી પણ શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ નિર્જીવરૂપે સિદ્ધ થતું ન હોય તો તેનો સચિત્તરૂપે જ વ્યવહાર કરવો એ જ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોને માન્ય છે. મતલબ કે સચિત્તઅચિત્તનો વ્યવહાર તથા નિર્ણય કરવો આપણા માટે કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન બળવાન પ્રમાણ સિદ્ધ થાય છે. આ અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન બળવાન સિદ્ધ થાય છે તો પાંગળી બુદ્ધિ કે શુષ્ક તર્ક કરતાં તો શ્રુત વધુ બળવાન જ બને ને! આપણા માટે તો શ્રુતજ્ઞાનની જ સૌથી વધુ વિશ્વસનિયતા-ઉપાદેયતા-પ્રમાણરૂપતા છે – આવું જાહેર કરવા માટે તો “શ્રતધર ગવેષણા કરીને, શ્રતના ઉપયોગથી નિર્દોષ તરીકે જાણીને જે ગોચરી લાવે તે ગોચરી કેવલીને દોષિત જણાતી હોય તો પણ કેવલજ્ઞાની તે ગોચરીને વાપરે છે. બાકી તો મૃત અપ્રમાણ બની જાય - આવું ભદ્રબાહુસ્વામીજીએ પિંડનિર્યુક્તિમાં જણાવેલ છે. આ રહી તે ગાથા आहो सुओवउतो सुयनाणी जइ वि गिण्हइ असुद्धं । તે વર્તી વિ મુંબ મામાનું સુર્ય મ દ ર || (ગા. ૫૨૪). * આમ આપણા માટે તો કોઈ પણ અતીન્દ્રિય પદાર્થના સ્વરૂપ વગેરે વિશેની મૂંઝવણ દૂર કરવા માટે શ્રત જ અત્યંત આદરણીય, પરમ વિશ્વસનીય, દઢ આધારભૂત અને પ્રબળ પ્રમાણભૂત છે. વર્તમાનમાં ઉપલબ્ધ પંચાંગી આગમ અને આગમાલંબી શ્રુતના માધ્યમથી ઉપરોક્ત રીતે વિચારવિમર્શ કરતાં એમને તો ઇલેક્ટ્રિસિટી અને બલ્બ પ્રકાશ વગેરે સચિત્ત અગ્નિકાય તરીકે જ નિશ્ચિતરૂપે જણાય છે. ભવભી-પાપભીરુ મુનિઓમુમુક્ષુઓ-શ્રદ્ધાળુ આરાધકો આ બાબતમાં મધ્યસ્થતાથી આગમાનુસારે નિર્ણય કરી 229 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy