SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ કેવી રીતે કરી શકે? જે પ્રમાણે સરળતાથી નિષ્પન્ન ઉપયુક્ત ચીજોનો ઉપયોગ સાધુ માટે વિહિત કરી છે, એ જ પ્રમાણે માઈક, લાઈટ આદિ ગૃહસ્થોની સુવિધા માટે ગૃહસ્થો દ્વારા પ્રયુક્ત હોય તો એનો દોષ સાધુને કેવી રીતે લાગે? ટરબાઇનમાં માછલી આદિને કાપવાની હિંસાની ક્રિયા એને લાગે જે કરવું, કરાવવું અને અનુમોદિત રૂપમાં એની સાથે જોડાયેલા છે, પછી ભલે એ સાધુ હોય અથવા ગૃહસ્થ. ગૃહસ્થને પોતાની સુવિધા માટે લાગેલા માઈક, લાઈટ આદિનો દોષ જા સાધુને પણ લાગે તો પછી ગૃહસ્થો માટે નિર્મિત મંડપ, સ્ટેજ, મકાન (ઉપાશ્રય) આદિનો દોષ સાધુને કેમ લાગતો નથી? જ્યાં સુધી ધર્મ-પ્રચારનો સંબંધ છે હિંસાના માધ્યમથી ધર્મ પ્રચાર કરવો પણ જ્યારે અધર્મ છે તો હિંસા દ્વારા ધર્મ-પ્રચાર કરવો કેવી રીતે યોગ્ય છે? પણ જેમ પુસ્તક-મુદ્રણ વગેરેમાં લાગેલી ક્રિયા સાધુને નથી લાગતી એ જ પ્રમાણે માઈક વગેરેની ક્રિયા પણ સાધુને કેવી રીતે લાગે? જો ધર્મપ્રચાર માટે પુસ્તક આદિનું લખવું સાધુ કરી શકે છે તો પછી યતનાપૂર્વક ઉપદેશ આપવામાં સાધુ કેવી રીતે દોષી થશે? માઈક આદિ ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે. ન પુસ્તકના મુદ્રણમાં સાધુ કૃત, કારિત, અનુમોદિત રૂપમાં સંલગ્ન થઈ છે ન માઇક આદિના પ્રયોગમાં. જૈન સાધુ પાંચ મહાવ્રતોનું પાલન કરતાં કરતાં ધર્મ-પ્રચાર કરે છે. એટલે તેઓ પુસ્તક-મુદ્રણ જેવી સાવદ્ય પ્રવૃત્તિઓને કરી શકતા નથી, નથી કરાવી શકતા, ન એનું અનુમોદન કરી શકે. જો આ સંબંધમાં તેઓ મહાવ્રતોનું પાલન વફાદારીથી કરી શકે છે તો પછી ધર્મ-ઉપદેશ અને પ્રચારના કાર્યને એ પ્રમાણે કેમ ન કરી શકે? પુસ્તક-મુદ્રણ અને માઇક, લાઈટ આદિ સાથે સાધુની સંલગ્નતા સરખી છે. નિશ્ચિત જ સંયમ-ધર્મને વિશુદ્ધ રાખીને જ જૈન સાધુ ધર્મ-પ્રચાર કરે, એજ વાંછનીય છે. આચાર્ય તુલસીએ તેરાપંથની નીતિને સ્પષ્ટ કરતા “માઈક આદિ વિષયની ચર્ચા આ પ્રમાણે કરી છે – તટસ્થતાની નીતિ સંશોધન અને પરિવર્તનની નીતિની સાથે થોડા વિષયોમાં અમે તટસ્થતાની નીતિ અપનાવી છે. ફોટો, ટેપરેકોર્ડિંગ, વીજળી વગેરે કંઈક એવા વિષય છે. ગૃહસ્થ પોતાની પ્રયોજનોથી એનો પ્રયોગ કરે છે, એમાં સાધુ તટસ્થ રહે તો કોઈ દોષ પ્રતીત થતો નથી. તટસ્થતાની નીતિમાં મારા અભિપ્રાય છે - નિષેધ અને અનુમોદન, એ બંનેથી બચીને અપ્રમત્ત ભાવથી વ્યવહાર કરવાની નીતિ. 227 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy