SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ એનો દોષ સાધુને નથી લાગતો. ગૃહસ્થ પોતાના ઉપયોગમાં લેનારા જે સાધનોનો પ્રયોગ કરે છે, અને ત્યાં વાયુકાય અથવા ત્રસકાય અથવા કોઈ પણ જીવની હિંસા થતી હોય, તો એનું પાપ ગૃહસ્થને લાગે છે. જો સાધુ એને કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી તો એનો દોષ નથી લાગતો. માઈક, લાઈટ આદિની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પ્રશ્ન ૩૪: વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે વિદ્યુતપ્રકાશના વપરાશમાં જ માત્ર સ્થાવરકાય અને ત્રસકાય જીવોની વિરાધનાનો દોષ લાગે છે – એવું નથી. ઇલેક્ટ્રિસિટીની ઉત્પત્તિમાં પણ ઢગલાબંધ ત્રસકાય પંચેન્દ્રિય જીવોની હિંસાનો મહાદોષ લાગુ પડે જ છે. જે મહાનદીઓમાં ડેમ બાંધીને ટરબાઈનના માધ્યમથી મહાદોષ લાગુ પડે જ છે. જે મહાનદીઓમાં ડેમ બાંધીને ટરબાઈનના માધ્યમથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં ટરબાઈનના ધારદાર દાંતાઓથી લાખો માછલાઓની હિંસા થાય છે. ટરબાઈનના દાંતાઓમાં ફસાયેલાકપાયેલા માછલાં વગેરેના માંસના મોટા જથ્થાના લીધે ટરબાઈન બંધ પડી ન જાય તે માટે દર છ-આઠ કલાકે તેના દાંતાઓને સાફ કરવા પડે છે. તેમાંથી ટનબંધ માંસ નીકળે છે. ટરબાઈનની નજીકમાં વહેતું પાણી પણ લોહિયાળ બની જતું હોય છે. આટલી ઘોર હિંસાના ભોગે ઇલેક્ટ્રિસિટી તૈયાર થાય છે. તેની હિંસાનું ઘોર પાપ ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરનારને અવશ્ય લાગે જ છે. આમ ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં હિંસા અને તે સચિત્ત હોવાથી તેના ઉપભોગમાં પણ હિંસા દોષ સ્પષ્ટપણે ઉભરાઈ આવે છે. ખરેખર ત્ર-સ્થાવર બંને પ્રકારના ઢગલાબંધ જીવોની હિંસાથી કલંકિત થયેલા માઈક-લાઇટ-ફેન-ફોન-ફેક્સ વગેરેનો સીધો વપરાશ જીવનભર સર્વ હિંસાના ત્યાગી એવા જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે કરી શકે? તેમ કરે તો તેમનું અહિંસા મહાવ્રત કઈ રીતે નિર્મળ રહી શકે?” ઉત્તર ૩૪: જૈન સાધુ એવી કોઈ ચીજનો પ્રયોગ નથી કરી શકતા, જેમાં મહાઆરંભ તો શું, અલ્પ આરંભ પણ હોય. એટલે આહાર આદિ પણ સહજનિષ્પન્ન હોય તો જ સાધુ ગ્રહણ કરી શકે. આહારની જેમ જ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, સ્થાન, દવા વગેરે બધી ચીજો આરંભ વગર ક્યાંય પણ બનતી નથી, એના આરંભમાં પણ વીજળીનો પ્રયોગ અનંતર અથવા પરસ્પર રૂપમાં થાય જ છે. જો વીજળીની ઉત્પત્તિમાં મહાઆરંભના આધાર પર એના ઉપયોગને સદો માનીએ તો પછી વીજળીની સહાયતાથી નિષ્પન્ન બધી ચીજોનો પણ ઉપયોગ 226 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy