SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વાયુકાયની હિંસાના સાધન તરીકે ઓળખાવીને તેનાથી દૂર રહેવાની ભલામણ કરેલી છે.” ઉત્તર ૩૩ઃ પંખાના ચાલવાથી વાયુકાયની વિરાધના થાય છે, જે સાધુ માટે કરવું, કરાવવું, અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી વર્ષ છે. પણ જ્યાં પંખો ચાલતો હોય, ત્યાં બેસવાથી વાયુકાયની વિરાધનાનો કોઈ પ્રસંગ નથી થતો. જો પંખાને સાધુ ચલાવે અથવા ચાલતા પંખાની અનુમોદના કરે. તો અવશ્ય એ દોષના ભાગીદાર બનશે. જ્યાં સાધુ બેઠા હોય ત્યાં બીજી કોઈ વ્યક્તિ પોતાની સુવિધા માટે પંખો ચલાવે, તો એમાં સાધુને દોષી ઠરાવવા સંગત નથી. એ સ્થિતિમાં સાધુનું કર્તવ્ય છે કે એ પોતાના ભાવોનો સંયમ કરે - પંખાથી મળનારા સુખની કામના ન કરે, મનથી પણ અનુમોદના ન કરે. જો કોઈ એમ કરે તો, તો એને જરૂર દોષ લાગશે, એ સ્પષ્ટ છે. જેમ ગૃહસ્થ હિંસા કરીને પોતાને માટે ભોજન, પાણી, વસ્ત્ર, મકાન, દવા આદિનો નિર્માણ કરે અને સાધુને આપતાં સાધુ એને શુદ્ધ (નિર્દોષ) આહાર, પાણી, આદિના રૂપમાં ગ્રહણ કરે તો સાધુને કોઈ દોષ નથી લાગતો, પણ જો સાધુના ભાવોમાં એ બધા તરફ કોઈ પ્રકારની ભાવના હોય અથવા માનસિક અનુમોદના પણ હોય તો સાધુ દોષના ભાગીદાર બને છે. એમ જ પંખાના સંબંધમાં છે. પંખાની હવા લાગવા માત્રથી એની હિંસામાં સાધુને સંભાગી માની લેવામાં કાંઈચ ઔચિત્ય દેખાતું નથી. એમાં કોઈ બે મત નથી કે સાધુને ન સ્વયં વિદ્યુત સંચાલિત પંખા ચલાવવા કલ્પ છે, ન ચલાવવા અને ન અનુમોદન કરવું. એમા ભલે વિદ્યુત નિર્જીવ છે, હાથ પંખો પણ નિર્જીવ જ છે, પણ એનો પ્રયોગ સાધુ માટે ત્રણ કરણ ત્રણયોગથી વર્જ્ય છે. એ જ પ્રમાણે વિદ્યુતથી ચાલતા પંખામાં પણ છે. હવે જો ગૃહસ્થ પોતાની સુવિધા માટે પંખો ચલાવે છે, ત્યાં સાધુને રહેવું કહ્યું છે કે નહીં? આ પ્રશ્નનું ગંભીર ચિંતન જરૂરી છે છે. જો સાધુ ગૃહસ્થ દ્વારા ચાલતા પંખાનું અનુમોદન (મન, વચન, કાયાથી) ન કરે અને મધ્યસ્થ ભાવથી ત્યાં રહે, તો વાયુકાયની વિરાધનાનો દોષ સાધુને કેવી રીતે લાગશે? કારણ કે પંખા દ્વારા થઈ રહેલી વાયુકાયની હિંસામાં સાધુની ઉપસ્થિતિ કોઈ પણ રૂપમાં નિમિત્તભૂત નથી. આ વિષયની ચર્ચા પહેલા પણ થઈ ગઈ છે, જો ત્યાં પંખા ચાલતા હોય તો ત્યાં સાધુને રહેવાનું જ નથી કલ્પતું તો પછી પંડાલ (મંડ૫) આદિમાં રહેવું કેવી રીતે કહ્યું? એટલે સ્પષ્ટ છે કે જે ક્રિયામાં સાધુ ત્રણકરણ-ત્રણ યોગથી જોડાએલા નથી, 225 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy