SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો પોતાની સુવિધા માટે કરે છે. જો મંડપ, સ્ટેજ આદિનો ઉપયોગ સાધુ કરે છે, તો એમને દોષ નથી લાગતો, તો માઈકમાં સાધુનો અવાજ ચાલ્યો જવાથી એનો દોષ સાધુને કેવી રીતે લાગશે? ટેલિફોનની પ્રક્રિયામાં વિદ્યુત-ઊર્જાનું ધ્વનિના રૂપમાં પરિવર્તિત થવું પણ પૌગલિક પરિણમન છે. જ્યાં સુધી તેઉકાયની વિરાધનાનો સંબંધ છે, ટેલિફોનમાં વાત કરવાથી આવું થવાની સંભાવના નથી. - સૌર સેલમાં સૌર ઊર્જાથી વિદ્યુત-ઊર્જા પેદા કરી શકાય છે. એમાં પણ ફક્ત પૌદ્ગલિક પરિણમન જ છે. સચિત્ત તેઉકાયનો પ્રસંગ નથી બનતો. જેમ વિશ્વસા પરિણમન ફક્ત પૌગલિક છે, એને જીવે બનાવ્યા છે એમ માની નહિ શકાય. સૃષ્ટિના બધાં પરિણમનોમાં જીવ અને પુદ્ગલનો સંયોગ કોઈને કોઈ રૂપમાં જોડાયેલાં છે. પણ એનો અર્થ એમ નથી કે અનન્તર રૂપમાં બધાં પરિણમનમાં જીવનો યોગ અવશ્ય છે. (વિસ્તૃત ચર્ચા પ્રશ્ન ૨૩ના ઉત્તરમાં થઈ ગઈ છે.) પ્રશ્ન ૩૩ઃ એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તેરાપંથી સાધુ-સાધ્વી પંખાનો ઉપયોગ કરે છે તેમાં શાસનપ્રભાવનાનો આશય છે કે કેવળ શરીરની સુખશીલતાને પોષવાનો આશય છે? પંખાના ઉપયોગમાં વાયુકાયની વિરાધના તો સ્પષ્ટ છે જ. તદુપરાંત ઘણીવાર ઉડતા કબૂતર વગેરેની પણ વિરાધના ત્યાં થતી હોય છે. તો પછી પંખાનો ઉપયોગ તેરાપંથી સાધુઓ શા માટે કરતા હશે? તે સમજી શકાતું નથી. શું આમાં જીવનભર પજીવનિકાયની હિંસાનો ત્યાગ કરવાનું મહાવ્રત દૂષિત ન થાય? ૧૪ પૂર્વધર શ્રીસ્વયંભવસૂરિજી મહારાજે તો દશવૈકાલિકસૂત્રમાં “વેને વા चेलकणेण वा हत्येण वा मुहेण वा अप्पणो वा कायं बाहिरं वा वि पुग्गलं ન મે ન વીના' (દ.વૈ.૪૪) આમ કહીને “વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી કે હાથથી કે મોઢેથી પોતાના શરીરને કે બહારની કોઈ પણ ચીજને ફૂંકવાનું કે વીંઝવાનું કાર્ય સાધુ મન-વચન-કાયાથી કેર-કરાવે-અનુમોદે - આવી વાયુકાયની રક્ષાની વાત જણાવેલ છે. ૧૪ પૂર્વધરશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે પણ આચારાંગનિર્યુક્તિમાં वियणे अ तालयंटे सुप्पसियपत्त चेलकण्णे य । अभिधारणा य बाहिं गंधग्गी वाउसत्थाई । (આ.નિ.શ્રુ.૧/અ.૧/૩.૭/ગા.૧૭૦) આમ કહીને વીંઝણાં-પંખા વગેરેને 224 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy