SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્ત૨ ૨૯: અગ્નિકાય તેઉકાયની હિંસાને જેવી રીતે મહાઆરંભ બતાવેલ છે, એ રૂપમાં એનો મહાઆરંભ સ્વીકાર કરવામાં ક્યાં આપત્તિ છે? એ જ પ્રમાણે તેઉકાયને આચારંગમાં દીર્ધલોકશસ્ત્ર, ઉત્તરાધ્યયનમાં સવ્વભક્ષી, દશવૈકાલિકમાં તીક્ષ્ણ શસ્રના રૂપમાં જેમ પ્રતિપાદિત કર્યું છે, એને કોણ અસ્વીકાર કરે છે? જો વિદ્યુત (ઇલેક્ટ્રિસિટી) પણ તેઉકાય (અગ્નિ) રૂપ સિદ્ધ થઈ જાય, તો એના પર પણ એ વાત લાગૂ થઈ જશે. ઇલેક્ટ્રિસિટી કયા રૂપમાં તેઉકાય બની શકે છે અને કયા રૂપમાં નહીં, એની વિસ્તૃત ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. એટલે જ્યાં એનું તેઉકાયિક રૂપ પ્રગટ થાય છે, ત્યાં એને અગ્નિની માફક જ મહા-આરંભ માનવી જ પડશે. પણ જ્યાં-જ્યાં ફક્ત પૌદ્ગલિક પરિણમનના રૂપમાં જ છે, ત્યાં ત્યાં આરંભવાળી વાત લાગૂ પડતી નથી. પ્રશ્ન ૩૦ઃ ઇલેક્ટ્રિસિટીના વપરાશમાં તેઉકાયની તો વિરાધના છે જ. તદુપરાંત પ્રકાશમાન બલ્બની ગરમીના લીધે તેની બહારની સપાટી ઉપર સ્પર્શમાં આવનારા વાયુકાયના જીવોની પણ હિંસા થાય છે. તથા રાત્રે લાઇટના કારણે ખેંચાઈ આવતા અનેક ત્રસકાયના જીવોની પણ વિરાધના થાય છે. ઉત્તર ૩૦: જો બલ્બની ગરમીથી બહારના ભાગ પર સ્પર્શમાં આવનારા વાયુકાયના જીવોની હિંસા થાય, તો પછી કોઈપણ ગરમ પદાર્થને કારણે પાત્ર વગેરે ગરમ થવાથી સ્પર્શમાં આવનારા વાયુકાયના જીવની હિંસા માનવી પડશે. લાઇટ પર આવનારા ત્રસ જીવોની હિંસા લાઇટ કરનારના પ્રમાદ સાથે સંબંધિત છે. એમાં પણ કરે, કરાવે, અનુમોદે, મનથી, વચનથી, કાયાથી જોડાએલા દોષી થશે. (જેમ પંખાના વિષયમાં બતાવાયું છે, એમ જ અહીં પણ લાગુ પડશે.) પ્રશ્ન ૩૧: જ્યાં વિદ્યુત-પ્રવાહમાં પ્રકાશ પણ નથી થતો કે ઉષ્ણતામાન પણ વધારે તીવ્ર નથી થતું, પણ ખાલી વિદ્યુત-ઉર્જાનું ગતિ-ઊર્જામાં રૂપાંતરણ જ થાય છે, ત્યાં સચિત્ત તેઉકાયની વિરાધના અથવા હિંસા થાય છે – એમ માનવું ક્યાં સુધી સંગત છે? દા.ત. સેલથી ચાલતું હાથ-ઘડિયાળ. ઉત્તર ૩૧ : હાથના ઘડિયાળમાં સેલથી વિદ્યુત-પ્રવાહ ઘડિયાળની ઇલેક્ટ્રોનિક સિસ્ટમને ચલાવે છે. એમાં ક્યાંય પણ અગ્નિ અથવા તેઉકાયના કોઈ લક્ષણ પ્રગટ નથી થતા. એ સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે આ ફક્ત (કોરા) પૌદ્ગલિક પરિણમન જ છે. સામાન્ય ઘડિયાળ જે સ્પ્રિંગની યાંત્રિક ઊર્જાથી ચાલે છે, એ સેલવાળી ઘડિયાળમાં વિદ્યુતની ઊર્જાથી ચાલે છે. જો વિદ્યુતની યાંત્રિક Jain Educationa International 222 For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy