SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ તેનો સ્વીકાર ન કરીએ? એમાં ક્યાંયે પણ સંશય અથવા અનિર્ણાયકતા નથી. પ્રાણ, વેશ્યા આદિનું શાસ્ત્રીય વિવેચન પણ યોગ્ય રીતે જ બતાવે છે કે ઋણ-ઘન વિદ્યુત, વિદ્યુત-ચુંબકીય તરંગોનું વિકિરણ આદિને આગમકારોએ પોતાની શબ્દાવલીમાં પ્રસ્તુત કર્યું છે. બીજી બાજુ જ્યારે વિજ્ઞાન પ્રત્યક્ષતઃ આ જૈન અવધારણાઓનું જ સમર્થન કરીને જૈવિક પ્રક્રિયાઓ માટે જૈવ વિદ્યુતુ, આભામંડળ આદિને વ્યાખ્યાયિત કરે છે, ત્યારે જૈન દર્શનમાં શ્રદ્ધાશીલ માટે તો બહુ જ ગૌરવનો વિષય બને છે કે કેવી રીતે આપણા પ્રાચીન જ્ઞાનીઓએ આટલા સૂક્ષ્મ વિષયોની પોતાની રીતે સ્પષ્ટતા આપી હતી. આજે તો વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રાણ-પ્રક્રિયા, આભામંડલિયા પરિણમન એટલે વેશ્યાના લંગોનો પ્રભાવ)ના ક્ષેત્રમાં થનારા અનુસંધાન જૈન અવધારણાઓને વધારે ઉજાગર કરતા દષ્ટિગોચર થઈ રહ્યા છે. પ્રશ્ન ૨૮: પ્રકાશ ભલે દીપક આદિ અગ્નિનો હોય અથવા વિદ્યુત (ઈલેક્ટ્રિસિટી)ના ઉપકરણોનો હોય એને કેટલાંય જૈન ગ્રંથ સચિત્ત તેઉકાય છે - એમ બતાવે છે. એવું માનવામાં શું વાંધો છે? ઉત્તર ૨૮: પ્રકાશને જૈન આગમોમાં કોઈ પણ ઠેકાણે અગ્નિકાય કે તેઉકાય નથી બતાવેલ. એને પૌદ્ગલિક પરિણમન અથવા પર્યાયના રૂપમાં જ પ્રસ્તુત કરવામાં આવેલ છે. પ્રકાશ કદાચ સૂર્યનો હોય, ચંદ્રમાનો હોય, તારાનો હોય, આકાશીય વિદ્યુતનો હોય અથવા અગ્નિ-અંગારાનો હોય - એ નિર્જીવ છે. એના સ્પર્શને આગમોમાં કોઈપણ જગ્યાએ વર્જય બતાવ્યું નથી. એ સ્થિતિમાં કોઈ ઉત્તરકાલીન ગ્રંથકારોની માન્યતાના આધાર પર એને સચિત્ત તેઉકાય માની લેવું તથા વૈજ્ઞાનિક અવધારણાઓની કાલ્પનિક વ્યાખ્યા કરી પોતાના પક્ષમાં પ્રસ્તુત કરવું - ક્યાં સુધી ઉચિત છે? આ વિષયની સંપૂર્ણ શાસ્ત્રીય મીમાંસા અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વાસ્તિવકતાની પ્રસ્તુતિ કરવી બહુ જ જરૂરી છે. (જુઓ પરિશિષ્ટ-૧) જે ઉત્તરકાલીન ગ્રંથોના સંદર્ભ ઉદ્ધત કરેલ છે તે બધાં જૈન પરંપરામાં માન્ય ગ્રંથો નથી. એ જ પ્રમાણે પંચાંગી આગમનું પ્રામાણ્ય પણ ફક્ત સંપ્રદાય-વિશેષમાં જ સ્વીકૃત છે, બાકી અન્ય સંપ્રદાયો દ્વારા એ આગમના રૂપમાં માન્ય નથી. વિજ્ઞાને ઇલેક્ટ્રોન, ફોટોન વગેરેના સંબંધમાં બહુ જ સ્પષ્ટ રૂપથી પોતાના સિદ્ધાંતોને પ્રસ્તુત કર્યા છે. ફોટોન-પ્રકાશાણુ કેવી રીતે પ્રકાશ-ઊર્જાનું એકમ છે તથા કેવી રીતે એનો કણ રૂપ અને તરંગ-રૂપ પ્રગટ થાય છે, એને સારી રીતે સમજ્યા પછી કોઈપણ બાબતે એવી આશંકા નથી રહેતી કે તે સજીવ છે. ફોટો 220 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy