SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર, ૧૦/૧૦૫-૧૦૭. પ્રશ્ન ૨૭ : બીજી એક મહત્ત્વની વાત એ છે કે ઓઘનિર્યુક્તિ આચારંગસૂત્ર વગેરે આગમોમાં બતાવેલ અચિત્ત અગ્નિકાય, અચિત્ત અપકાય વગેરે પદાર્થોને નિર્જીવ માનવામાં અને અમારા પ્રસ્તુત વિશ્લેષણમાં કોઈ જ વિરોધાભાસ ઊભો થતો નથી. સૂત્રકૃતાંગ (શ્રુતસ્કંધ-૧/અધ્ય, પ/ઉદેશો-૧/ગા. ૧૦થી ૩૯) અને ઉત્તરાધ્યયન (૯૨/૨૪-૪૪-૪૫) સૂત્રમાં જણાવ્યા મુજબ નરકમાં અગ્નિકાય જીવ ન હોવા છતાં પુષ્કળ ગરમી હોવાનો અમે સ્વીકાર કરીએ જ છીએ. સૂર્યના ગરમ કિરણોને શાસ્ત્રવિધાન મુજબ અમે નિર્જીવ જ માનીએ છીએ. આ બાબતો નિર્વિવાદરૂપે અમને માન્ય જ છે. અમે આગિયાને અગ્નિ નથી માનતા તથા શરીરની ગરમીને કે ચન્દ્રના કિરણોને કે સ્વંયપ્રકાશ મણિ-રત્ન વગેરેના ઉદ્યોતને સચિત્ત અગ્નિકાય નથી માનતા. પરંતુ ‘વીજળી અચિત્ત અગ્નિ છે' એવો કોઈ પણ શાસ્ત્રપાઠ બતાવ્યા વિના આમ ને આમ વિદ્યુતપ્રકાશને નિર્જીવરૂપે જાહેર કરી દેવાનો અધિકાર અસર્વજ્ઞને કઈ રીતે મળી શકે? ઉત્તર ૨૭: જેમ સૂર્યનો તાપ શાસ્ત્રાધારે નિર્જીવ માનવામાં કોઈ આપત્તિ નથી, એમ જ ઈલેક્ટ્રિસિટી (એટલે સ્નિગ્ધ-રૂક્ષ ગુણધર્મ)ને પણ પૌદ્ગલિક પરિણમનની ક્રિયારૂપ સ્વીકાર કરવામાં ક્યાં આપત્તિ છે? શબ્દ, તાપ આદિની જેમ જ આ એક સાર્વભોમ પૌદ્ગલિક પરિણમન જ છે, જે વૈજ્ઞસિક, પ્રાયોગિક અને મિશ્ર ત્રણ રૂપમાં સંભવ છે. શાસ્ત્રોમાં પુદ્ગલના પરિણમન અંતર્ગત જે સ્નિગ્ધ-રૂક્ષની ચર્ચા છે, એ ઇલેક્ટ્રિસિટીની જ છે. ફક્ત શબ્દાંતર કે ભાષાપ્રયોગનો ફરક છે. એ જ પ્રમાણે તેજોલેશ્યા (અથવા તૈજસ્ વર્ગણાના પુદ્ગલો)ના સંબંધમાં ઉપલબ્ધ શાસ્ત્રીય ચર્ચાથી પણ ઇલેક્ટ્રિસિટીની પૌલિકતા ઘણી ખરી સિદ્ધ થઈ જાય છે. આ વિષયની ચર્ચા અમે પ્રશ્ન ૨૦ના ઉત્તરમાં કરી ચૂક્યા છીએ. પ્રાચીન સાહિત્યની ભાષાને સમજવી જરૂરી છે. સ્નિગ્ધ-રૂક્ષનો અર્થ ઋણઘન વિદ્યુતના રૂપમાં સ્વીકારવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ઇલેક્ટ્રિસિટી સ્વયં પુદ્ગલના મૂળ સ્પર્શ ગુણનો દ્યોતક છે. રુક્ષ-સ્નિગ્ધથી આકાશીય વિદ્યુતની ઉત્પત્તિ બતાવનાર પ્રાચીન પાઠ (જેને ઉદ્ધૃત કરી ચૂક્યા છીએ) આ તથ્યનું પ્રમાણ છે. જૈન દર્શનમાં વર્ણવેલા પુદ્ગલ પરમાણુ અને પુદ્ગલ-સ્કંધના નિર્માણમાં મૂળ ભૂમિકા સ્નિગ્ધ-રૂક્ષની છે, એમ વિજ્ઞાન અનુસાર બધા જ મૂળભૂત તત્વ (element)ના પરમાણુની સંરચનામાં ઋણ અને ઘન વિદ્યુતની જ મુખ્ય ભૂમિકા છે. જ્યારે આપણને આવું સ્પષ્ટ પ્રમાણ મળી જાય છે તો પછી શા માટે આપણે Jain Educationa International 219 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy