SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ યુક્તિસંગત જ નથી, સ્પષ્ટ પ્રયોગોથી પ્રમાણિત સાંવ્યાવહારિક પ્રત્યક્ષ પર આધારિત અને આગમ અવિરોધી તથ્યોને બરાબર સમજીને કામમાં લે છે, તો પણ એને એવું માનવું કે એ ફ્રેમને અનુસાર ફોટોની કાપાકૂપી કરી રહ્યા છે. શું આગ્રહબુદ્ધિનું જ આ પ્રદર્શન નથી ? જ્યારે ઇલેક્ટ્રિસિટીનો વિષય ખરા રૂપમાં આગમમાં ચર્ચિત જ નથી, ત્યાં આગમ દ્વારા પ્રદત્ત બીજા સંકેત તથા વિજ્ઞાન દ્વારા પ્રદત્ત સર્વમાન્ય/સર્વગ્રાહ્ય અવધારણાને આધાર માનીને એના સ્વરૂપનું વિવેચન જ અમારે માટે ‘વ્યવહાર’નો સર્વશ્રેષ્ઠ માર્ગ બચે છે. આચાર્ય મહાપ્રજ્ઞ જ નહીં, બીજા ઘણા જૈન વિદ્વાનો તથા બીજા વિદ્વાનોએ હજારો વાતોને વિજ્ઞાનના આધાર પર સ્પષ્ટ કરીને જૈન દર્શનની વૈજ્ઞાનિકતાને ‘વ્યવહાર'ના આધાર પર સુસ્પષ્ટ કરેલ છે. ત્યાં જો એમ માનીએ કે સર્વજ્ઞ-પ્રણીત તત્ત્વને વિજ્ઞાન દ્વારા માપવાની કોશિશ થઈ રહી છે અથવા સર્વજ્ઞ પ્રતિ અશ્રદ્ધા થઈ રહી છે, તો એ ઉચિત નથી. જેમ પહેલાં જણાવ્યું છે સર્વજ્ઞ-પ્રણીત ઘણા તથ્ય ખરા અર્થમાં સમજવા માટે અથવા એની પાછળ રહેલી સાપેક્ષતા શું છે? એને યોગ્ય રીતે ગ્રહણ કરવા માટે વિજ્ઞાનની અવધારણાંઓ જ્યાં સહાયક બને છે, ત્યાં એનો ઉપયોગ અમારા સમ્યગ્ બોધને જ સ્પષ્ટ કરશે, સર્વજ્ઞ-પ્રણીત તત્ત્વ તરફ અશ્રદ્ધા નથી. પ્રસ્તુત પ્રસંગ-ઇલેક્ટ્રિસિટી શું છે? સજીવ છે કે નિર્જીવ? આકાશીય વિદ્યુત (lightening), તારમાં પસાર થતાં વિદ્યુત પ્રવાહ (electric current) અને મનુષ્ય તથા અન્ય પ્રાણીઓના જીવિત શરીરમાં કાર્યરત વિદ્યુત (bio-electrity) ક્યાં સુધી દેખાય છે, ક્યાં સુધી વિદદશ આદિ વિષય તો નિશ્ચિત રૂપમાં વિજ્ઞાનની અવધારણાઓ, સિદ્ધાંતો અને પ્રયોગોથી જેટલું સ્પષ્ટ સમજી શકાય છે, એટલા એકાંગી જ્ઞાનથી નહિ – એ પોતાનામાં પણ નિર્વિવાદ છે. ઉદાહરણાર્થ - વનસ્પતિ જીવ છે, આ જૈન આગમોમાં પ્રતિપાદિત છે. આજે વિજ્ઞાને અનેક પ્રયોગોથી વનસ્પતિકાયમાં થનારા સંવેદન, ભાવ આદિને સ્પષ્ટ કર્યું છે. એનાથી એ જીવોમાં વિદ્યમાન આહાર-સંજ્ઞા, ભય-સંજ્ઞા, મૈથુન-સંજ્ઞા, પરિગ્રહ-સંજ્ઞા વગેરે સ્થાનાંગ સૂત્રમાં પ્રતિપાદિત દશ સંજ્ઞાઓને ખરી રીતે સમજવામાં વધારે સુવિધા રહે છે. ટિપ્પણ નં. ૭૦. તો શું આપણે એવા વૈજ્ઞાનિક તત્વોની ઉપાદેયતાનો અસ્વીકાર કરીએ ? આ પ્રયોગોથી તો સર્વજ્ઞ-પ્રણીત જ્ઞાન પ્રતિ આપણી શ્રદ્ધા વધારે સુદૃઢ થશે. એ જ પ્રમાણે જો કોઈ વૈજ્ઞાનિક શોધ આદિ દ્વારા પૃથ્વી આદિ જીવોના જીવત્વને સમજવામાં સુવિધા થશે, તો શું આપણે એને નહીં માનીએ ? સ્થાનાંગ Jain Educationa International 218 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy