SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ એક બાજુ આપણા વિજ્ઞાનના સાધનોને પાંગળા સ્વીકારવા અને તેમ છતાં પણ વિજ્ઞાનના આધારે આગમમાં શોધખોળ કરવી એ તો ફ્રેમના માપ મુજબ ઐતિહાસિક ચિત્રમાં કાપકૂપ કરવા જેવું થયું. આમાં પ્રાજ્ઞપણું પણ કઈ રીતે કહી શકાય? વાસ્તવમાં તો ફ્રેમના માપ મુજબ ફોટાને કાપીને દીવાલમાં લટકાવવાના બદલે ફોટાના માપ મુજબ ફ્રેમ તૈયા૨ કરાવવી એ જ ડહાપણની નિશાની છે. ફોટો એટલે સર્વજ્ઞ વીતરાગકથિત તત્ત્વો. ફ્રેમ એટલે મોર્ડન સાયન્સના સમીકરણો. આત્મા, કર્મ, સ્વર્ગ, નરક, નિગોદમાં અનંતા જીવો, મોક્ષ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા વગેરેમાંથી એક પણ તત્ત્વને માપવાની ફુટપટ્ટી જે મોર્ડન સાયન્સ પાસે નથી તેના આધારે સર્વજ્ઞકથિત આધ્યાત્મિક અતીન્દ્રિય તત્ત્વોને માપવા-તપાસવા એટલે જન્માંધ વ્યક્તિએ આપેલો રૂપનો ચુકાદો માન્ય કરવા જેવી વાત થાય. હજારો જન્માંધ વ્યક્તિના ચુકાદા કરતાં એકાદ દેખતા માણસનો રૂપની બાબતમાં ચુકાદો માન્ય કરવામાં બુદ્ધિમત્તા છે. છદ્મસ્થ જીવો બુદ્ધિશાળી હોય તો પણ અતીન્દ્રિય બાબતમાં તો કેવળ સર્વજ્ઞ વીતરાગ ભગવંતનો જ નિર્ણય માન્ય થઈ શકે.’’૬૯ - ઉત્તર ૨૬: જ્યાં આગમ દ્વારા સ્પષ્ટ પ્રતિપાદન ઉપલબ્ધ હોય, ત્યાં વિજ્ઞાનના આધાર પર આગમનું સંશોધન કરવાની અપેક્ષા હોતી નથી, પણ જે વિષયમાં આગમ સ્પષ્ટતઃ કોઈ વિધાન-નિષેધ નથી કરતા, ત્યાં વિજ્ઞાન દ્વારા પ્રસ્તુત અવધારણાથી બિલકુલ પરહેજ કરવું સત્ય-સન્ધિસ્તુ માટે ક્યાં સુધી ઉચિત થશે ? આજે વિજ્ઞાનના ક્ષેત્રના એવા વિવેચન અમને ઉપલબ્ધ થઈ રહ્યા છે, જે સામાન્ય ઇન્દ્રિય-જ્ઞાનથી જાણવું સંભવ નથી. એના આધાર પર અમે સત્યની શોધની દિશામાં આગળ વધીએ, તો એમાં ત્યાં આગમ પ્રતિ અમારી શ્રદ્ધામાં ઓછું આવે છે ? ઉલ્ટુ ઘણા બધા એવા વિષય જે આગમોમાં ફક્ત સંકેત રૂપમાં અથવા અજ્ઞાત અપેક્ષાથી પ્રતિપાદિત છે, એને વિજ્ઞાન દ્વારા સ્પષ્ટ કરવું અમારી આગમ-શ્રદ્ધાને વધારે દઢ કરે છે. જ્યાં જૈનાચાર્યો દ્વારા અહીં સુધીની ઉદારતા વ્યક્ત કરી છે पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यं परिग्रहः ॥ “ન મારો વીર તરફ પક્ષપાત છે, ન કપિલ આદિ તરફ દ્વેષ છે. જેનું વચન યુક્તિસંગત છે, એને જ ગ્રહણ કરવું જોઈએ.” ત્યાં જો કોઈ વિજ્ઞાન Jain Educationa International 217 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy