SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોમાં નિર્દિષ્ટ છે, એની અપેક્ષા અથવા દષ્ટિને સ્પષ્ટ કરવામાં જ્યાં વિજ્ઞાન આપણને સહાયક થાય છે, ત્યાં એનો એ કહીને અસ્વીકાર કરવો કે “એ નિરંતર પરિવર્તનશીલ છે, એના સિદ્ધાંતોમાં દિન-પ્રતિદિન પરિવર્તન થયા કરે છે. એ પોતે પૂર્ણ સત્યને પ્રાપ્ત નહીં કરી શકવાનો સ્વીકાર કરે છે... ક્યાં સુધી ઠીક છે? જ્યાં સુધી સ્થાવર-કાયના જીવત્વનો પ્રશ્ન છે, વિજ્ઞાને ફક્ત વનસ્પતિકાયના જીવત્વનો સ્વીકાર કર્યો છે. બાકીના સ્થાવરકાર્યોના જીવત્વનો નહીં. એટલે આપણે વિજ્ઞાનના આધાર પર સ્થાવર જીવોના જીવત્વ-અજીવત્વની મીમાંસા કેવી રીતે કરી શકીએ છીએ ? પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના સ્વરૂપ સમજવામાં જો આપણને વૈજ્ઞાનિક સિદ્ધાંત સહાયક થાય છે, તો પણ એનો પરહેજ કરવો ક્યાં સુધી ઠીક છે. બીજી વાત છે, એક બાજુ વિજ્ઞાનને અપૂર્ણ બતાવીને એની ઓથેન્ટિસિટીનો અસ્વીકાર કરવો અને બીજી બાજુ એના આધાર પર વિદ્યુતને સચિત્ત સિદ્ધ કરવાની કોશિશ કરવી - શું આ બન્ને અસંગત નથી ? આપણે ન તો વિજ્ઞાનને ઓથેન્ટિક માનીને એના સમીકરણ અનુસાર શાસ્ત્રીય સત્યને માપીએ છીએ અને ન અતીન્દ્રિય પદાર્થોનો અસ્વીકાર કરવાની વાત કહીએ છીએ,ન આપણે આગમ-પ્રધાનતાની અપેક્ષા વિજ્ઞાન-પરસ્તતાના હામી છીએ. અમે આગમના આધાર પર જ વિદ્યુતની અચિત્તતા તથા વિજ્ઞાનના આધાર પર જ એની પુષ્ટિ કરવાનો પ્રયત્ન કર્યો છે. આગમસંમત વૈજ્ઞાનિક તથ્યોને ખોટાં પાડીને અવૈજ્ઞાનિક (મનઘડંત) કલ્પનાઓના આધારે વિદ્યુતની સચેતનાને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો – એ સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે કે ભ્રાંતિઓ અને પૂર્વગ્રહોની જાળથી મુક્ત થયા વગર ન આગમની ખરી શ્રદ્ધાની પૃષ્ટિ થઈ શકે છે અને ન વિજ્ઞાનની આગમ-અવરોધી તથ્યોની ખરી જાણકારી. પ્રશ્ન ૨૬ : “શું ત્રિકાલઅબાધિત આગમોમાં શોધને અવકાશ છે ખરો ? અને તે પણ વિજ્ઞાન દ્વારા આગમને શુદ્ધ કરવાના? શું સર્વજ્ઞકથિત આગમો પાંગળા છે કે તેણે પોતાની સત્યતા પુરવાર કરવા વિજ્ઞાનનો સહારો લેવો પડે ? વિજ્ઞાનના આધારે આગમમાં શોધખોળની આવશ્યકતા હોય તો મુખ્યતા વિજ્ઞાનની સાબિત થાય કે આગમની? તીર્થકર ભગવંતો સર્વજ્ઞ હોવાથી સાક્ષાત્ પ્રત્યક્ષરૂપે ત્રણ જગતના તમામ પદાર્થોને જાણે છે – જુએ છે. જ્યારે વિજ્ઞાન પાસે તો જાણવાના સાધનો પણ પાંગળા છે. વિજ્ઞાનના ગમે તેટલા ઊંચા સાધનો હોય તો પણ તેના દ્વારા અતીન્દ્રિય પદાર્થનો સાક્ષાત્કાર થઈ શકે તેવી કોઈ જ શક્યતા નથી. 216 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy