SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. વિજ્ઞાનમાં પુગલ જૈન દર્શન જેને પુદ્ગલ કહે છે, એની બે અવસ્થાઓનો વિજ્ઞાને સ્વીકાર કર્યો છે - ૧. પદાર્થ અથવા મેટર (matter) ૨. ઊર્જા અથવા એનર્જી (Energy) પ્રાચીન વિજ્ઞાન (Classical physics)માં આ બન્ને અવસ્થાઓને તદ્દન ભિન્ન માનવામાં આવતી હતી, પરંતુ આધુનિક વિજ્ઞાને હવે આ બંન્નેની મૂળભૂત એકતાનો સ્વીકાર કરી લીધો છે. એટલે હવે વિજ્ઞાનના મતમાં ઊર્જાનું પદાર્થના રૂપમાં અને પદાર્થનું ઊર્જાના રૂપમાં રૂપાંતરણ સંભવ છે. આઈન્સ્ટાઈનનું પ્રસિદ્ધ સમીકરણ છે. ઊર્જા = દ્રવ્યમાન x C. (C = પ્રકાશની ગતિ) આ જ પ્રમાણે પ્રાચીન વિજ્ઞાને જેને મૂળ પદાર્થ (Element) તરીકે ઓળખાવ્યો હતો, એને પણ બીજા કોઈ મૂળ પદાર્થના રૂપમાં બદલાવી શકાય છે એમ આધુનિક વિજ્ઞાન માને છે. વિજ્ઞાને મૂળ ૯૨ પદાર્થોનો સ્વીકાર કર્યો છે, જેમાં પ્રથમ ક્રમાંક છે હાઇડ્રોજનનો અને બાણુંમો ક્રમાંક છે યુરેનિયમનો. કૃત્રિમ રૂપથી બનાવેલા મૂળ પદાર્થોનો ક્રમાંક ૧૦૦થી પણ ઉપર ચાલ્યો ગયો છે. આ મૂળ પદાર્થોનું પણ પરસ્પર રૂપાંતરણ “પરમાણુ-ભૌતિકી” (Atomic Physics)ના માધ્યમથી સંભવ છે. હાઇડ્રોજનને હિલિયમ (ક્ર.૨) તથા યુરેનિયમ (ક્રમાંક ૯૨)ને સીસું (Lead)માં પરિવર્તન કરી હાઇડ્રોજન બોમ્બ તથા અણુબોમ્બની શોધ કરવામાં આવી.૨૫ પુદ્ગલના બન્ને રૂપ-પદાર્થ અને ઊર્જા પોતે પુદ્ગલ છે, એટલે નિર્જીવ જ છે. એનું પરસ્પર રૂપાંતરણ પણ પૌલિક જ છે, નિર્જીવ પરિણમન જ છે. પૌદ્ગલિક પરિણમન બાદ જીવોત્પતિના અનુકૂળ યોનિ-નિર્માણ થાય કે 10 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy