SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણમન છે. જ્યારે જીવ એ પુદ્ગલોને ગ્રહણ કરે છે ત્યારે જ એ તેઉકાયિક જીવનું શરીર બની શકે છે, પણ એની પહેલાં તો અચિત્ત પુદ્ગલો જ છે.” પુદ્ગલના બંને રૂપ-પદાર્થ અને ઊર્જા-પોતાના રૂપમાં પુદ્ગલ છે, એટલે નિર્જીવ જ છે. એમનું પરસ્પરમાં રૂપાંતરણ પણ પૌદ્ગલિક જ છે, નિર્જીવ પરિણમન જ છે. પૌદ્ગલિક પરિણમન પછી જીવોત્પત્તિને અનુકુળ યોનિ-નિર્માણ થાય ત્યારે જ સજીવતા અથવા ચિત્તરૂપમાં પરિણમન ક્યારેક થઈ શકે છે, ક્યારેક નહીં. અગ્નિકાયિક જીવોની ઉત્પત્તિ સામાન્ય રીતે (કેટલાક અપવાદ છોડીને) ઑક્સિજન વગર સંભવ નથી. જીવોના મૂળ શરીર (ઔદારિક, વૈક્રિય) તથા સૂક્ષ્મ શરીરના રૂપમાં “બદ્ધ” અને “મુક્ત” પુદ્ગલોના પરિણમનથી વ્યવહાર જગતના બધા પદાર્થોના પરિણમનનો સંબંધ છે.૧૯ વિશ્વના પરિણમનના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. ૧. વૈગ્નસિક, ૨. પ્રયોગિક, ૩. મિસ.૧૭ ફક્ત પુદ્ગલોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ સંસ્થાન (આકાર)ના પરિણમનના કારણથી થનારું પરિણમન વૈજ્રસિક કહેવાય છે.૧૮ જીવના પ્રયત્નથી થનારું પરિણમન “પ્રાયોગિક” કહેવાય છે. ૧૯ જીવ અને પુદ્ગલ બન્નેના સંયુક્ત પ્રયોગથી થનારું પરિણમન મિસ્ર કહેવાય છે. પુદ્ગલના પર્યાયોમાં શબ્દ, બંધ, સૌક્ષ્મય, સ્થૌલ્ય, સંસ્થાન, ભેદ, તમસ (અંધકાર), છાયા, આતપ (સૂર્ય-પ્રકાશ), ઉદ્યોત (ચંદ્ર-પ્રકાશ), પ્રભા(મણિ વગેરેનો પ્રકાશ) વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવી રીતે સ્પર્શ વગેરેના ગુણો અને શબ્દ વગેરેના પર્યાયો પૌદ્ગલિક જગતની બધી જ ક્રિયાઓ માટે જવાબદાર છે. ૨૦ - જીવની ઉત્પત્તિ (જન્મ) માટે પણ પૌદ્ગલિક પરિણમનોથી બનેલી યોનિયો નિમિત્ત બને છે. જૈન દર્શનમાં નવ પ્રકારની યોનિયોનો ઉલ્લેખ મળે છે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ, સંવૃત્ત (ઢાંકેલી), વિવૃત્ત (ખુલ્લી), સંવૃત્ત-વિવૃત્ત, સચિત્ત, અચિત્ત, સચિત્ત-અચિત્ત.૨૨ આમ અચિત્ત પૌદ્ગલિક સ્કંધ પણ અનુકુળ સંયોગ મળવાથી યોનિ બની શકે છે. પરંતુ બધા પૌદ્ગલિક સ્કંધો યોનિ બનશે જ, એવો કોઈ નિયમ નથી. જ્યાં સુધી એ પરિણમન યોનિનું રૂપ નથી લેતું ત્યાં સુધી એ પૌદ્ગલિક જ છે, અજીવ છે. જ્યારે એનામાં યોનિ બનવાની યોગ્યતા ઉત્પન્ન થાય છે ત્યારે જ એનામાં જીવ ઉત્પન્ન થઈ શકે છે. તેજસકાયની યોનિ (ગરમ) જ હોય છે. પણ એનો અર્થ એ નથી કે બધા ઉષ્ણ પુદ્ગલો એવી યોનિ છે.૨૩ ઉપર મુજબની જૈન માન્યતાઓનાં આધાર પર જ તેજસકાયના જીવોની ઉત્પત્તિ આદિ વિષયની ચર્ચા થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only M www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy