SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ભાષા-વર્ગણા ૪. મનો-વર્ગણા ૫. કાર્મણ-વર્ગણા જીવ દ્વારા ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શ૨ી૨, શ્વાસોચ્છ્વાસ, તૈજસ શરીર, ભાષા, મન અને કાર્યણ શરીરના રૂપમાં પિરણત પુદ્ગલ–સ્કંધો જ્યારે જીવથી અલગ થઈ જાય છે ત્યારે “મુક્ત પુદ્ગલ” થઈ જાય છે. જ્યાં સુધી એ પુદ્ગલો જીવની સાથે રહે છે ત્યાં સુધી એ “બદ્ધ” પુદ્ગલ કહેવાય છે. આ આઠ પ્રકારના પુદ્ગલ સ્કંધો (મુક્તરૂપમાં) અચિત્ત હોય છે. એમનું પરિણમન થાય છે અને રૂપાંતરણ પણ સંભવે છે.૧૪ આહાર વર્ગણાની અંદર-ઔદારિક શરીર વર્ગણા, વૈક્રિય શરીર વર્ગણા, આહારક પુદ્ગલ છે. આ પુદ્ગલો સ્વયં તો અચિત્ત છે, પણ જ્યારે જીવ એને ગ્રહણ કરી લે છે ત્યારે તેઓ જીવના શરીરના રૂપમાં ફેરવાઈ જાય છે અને એનું રૂપાંતર સચિત્તના રૂપમાં થઈ જાય છે. જ્યારે એ જ પુદ્ગલો જીવથી ‘મુક્ત’ થઈ જાય છે, તો ફરી પાછા અચિત્ત પુદ્ગલો થઈ જાય છે. તૈજસ, ભાષા, મન અને કાર્મણ વર્ગણાઓના પુદ્ગલો, જ્યાં સુધી જીવ દ્વારા ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી, પોતાના રૂપમાં અચિત્ત જ છે. જ્યારે જીવ એમનું તૈજસ શરીર આદિના રૂપમાં રૂપાંતરણ કરી આત્મસાત્ કરી લે છે ત્યારે આ તૈજસ શરીર આદિના પુદ્ગલોનું ચિત્ત રૂપમાં પરિણમન રૂપાંતર થઈ જાય છે. “આ કારણથી આહાર (ઔદારિક, વૈક્રિય, આહાક અને શ્વાસોચ્છ્વાસ). તૈજસ, ભાષા, મન અને કાર્મણ-આ પાંચ વર્ગણાઓને ‘બંધનીય’ કહેવામાં આવે છે તથા તેઓ બાહ્ય વર્ગણાઓ કહેવાય છે. કેમકે ત્રેવીસ વર્ગણાઓમાં આ પાંચ શરીર અલગ-અલગ છે, એમના બાહ્ય નામ છે. પાંચ શરીરને અચિત્ત વર્ગણાઓમાં તો ન ગણી શકાય, કેમકે સચિત્તને સચિત્ત માનવાથી વિરોધ ઉત્પન્ન થાય છે. એમની ગણના સચિત્ત વર્ગણાઓમાં પણ થઈ શકતી નથી, કેમકે વિસ્રસા (કુદરતી રીતે) જે ભેગા થયાં નથી (પણ જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે) એવા પાંચ શરીરના પરમાણુઓને જ સચિત્ત વર્ગણામાં ગણવામાં આવે છે.૧૫ જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે તે પહેલાં આ આઠેય વર્ગણાઓના પુદ્ગલ સ્વયં તો અચિત્ત જ હોય છે. એમનું ઉપચય (એકત્રીકરણ) વૈગ્નસિક બંધ દ્વારા થાય છે. જ્યારે એ વર્ગણાઓ જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે એમનું પરિણમન-રૂપાંતર શરીર આદિના રૂપમાં થાય છે. આના આધારે આ સ્પષ્ટ થાય છે કે તૈજસ વર્ગણાના પુદ્ગલ અને તૈજસ શરીરના રૂપમાં પરિણમન પામેલાં પુદ્ગલ અલગ-અલગ છે. વીજળી અથવા ઇલેક્ટ્રિસિટી પોતે તો પૌદ્ગલિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy