SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ આગમના વ્યાખ્યાકારો દ્વારા એને શુદ્ધાગ્નિ માનવી તથા અગ્નિના સંપર્કરહિત થવાથી અચિત્ત બતાવવી - આ તથ્યને જ સિદ્ધ કરે છે કે આપણે સચિત્ત તેઉકાયના આ લક્ષણને સ્વીકાર કરવો જ પડશે કે સચિત્ત તેઉકાયના જીવ ઑક્સિજનના અભાવમાં જીવિત નથી રહી શકતા. ગરમ ગોળાના મધ્ય ભાગ સુધી તેઉકાયિક જીવોનો પ્રવેશ હોવો એક વાત છે, એનું જીવિત રહેવું બીજી વાત છે. નવા નવા જીવ પ્રવેશ કરતાં રહે તો વચ્ચેનો ભાગ સચિત્ત તેઉકાયના રૂપમાં બતાવી શકાય છે. પણ એ ફક્ત આ અપેક્ષાથી તો જ સંભવ છે જો તેઉકાયિક જીવોનો ધાતુના મધ્ય ભાગ સુધી પ્રવેશ થતો રહે અને ફક્ત અગ્નિમાં ધાતુનું રહેવું થાય. જ્યારે લોખંડના ગોળાને અગ્નિમાંથી બહાર કાઢીએ ત્યારે જીવોનો પ્રવેશ બંધ થઈ જાય છે અને ગોળો ફરી અચિત્ત થઈ જાય છે. હવે પ્રશ્ન થાય છે - મધ્ય ભાગ સુધી ઑક્સિજન (વાયુ) જઈ શકે છે કે નહીં? આ વિષયમાં નિશ્ચય પણે એમ કહી શકાય કે એ સંભવ નથી. ફક્ત ગોળાની સપાટી જ ઑક્સિજનના સંપર્કમાં રહેશે, બાકીના ભાગમાં ઑક્સિજનનો પ્રવેશ થઈ જ નથી શકતો. જ્યારે કાચના ગોળામાં પણ બહારથી ઑક્સિજનનો પ્રવેશ નથી થઈ શકતો ત્યારે લોખંડના ગોળામાં એનો પ્રવેશ ન તો વિજ્ઞાન સ્વીકાર છે કે ન તો જૈનદર્શન. વિજ્ઞાન અને જૈન દર્શન એ તો સ્વીકાર કરે છે કે ઘનમાં ઘન પદાર્થમાં પણ સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધોનો પ્રવેશ સંભવ છે, પણ ઑક્સિજન અથવા પ્રાણવાયુનો પ્રવેશ એટલા માટે નથી થઈ શકતો કે લોખંડના પરમાણુ-ગુચ્છોની (Molecules) વચ્ચે ખાલી જગ્યામાં ઑક્સિજનના પરમાણુગુચ્છો પ્રવેશી નથી શકતા. એ ત્યારે જ સંભવ થાય જ્યારે રાસાયણિક ક્રિયા થાય, જે સામાન્ય સ્થિતિમાં થતી નથી. કાટ લાગવાથી ક્રિયામાં થનારી રાસાયણિક ક્રિયામાં ભેજના મોલિક્યુલ (HO) લોખંડના મોલિક્યુલની સાથે રાસાયણિક ક્રિયા કરે છે, ત્યારે લોખંડનો ઑક્સિજન સાથે રાસાયણિક બંધ થાય છે, જેનાથી કાટ એટલે ફેરસ ઓક્સાઈડના રૂપમાં પરિણમન થાય છે. પણ આ પ્રક્રિયા પણ ફક્ત થોડીવાર માટે થાય છે. ગોળાની અંદર ભેજનો પ્રવેશ સંભવ નથી. ઘન પ્રવાહી અને વાયુ અથવા વરાળ રૂપમાં પદાર્થોના વિભાજનનો આધાર જ એ છે કે ધન પદાર્થની અંદર બીજા ઘન પદાર્થ ઘન, પ્રવાહી અથવા વાયુ)નો પ્રવેશ નથી થતો. ત્યાં સુધી કે લોખંડ જેવા ઘન અને અપારદર્શી પદાર્થોમાં કિરણોનો પણ અંદર સુધી પ્રવેશ નથી થતો, ફક્ત સપાટી સુધી જ એનો પ્રવેશ થાય છે. ૫૭ ફક્ત ભૌતિક પ્રક્રિયાથી આ સંભવ નથી. દરેક આગમ-વચનની જે અપેક્ષાઓ છે 204 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy