SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયોગિક પરિવર્તન છે. પરમાણુ તથા પરમાણુ સ્કંધોમાં બધાં વર્ષોની સત્તા છે, એટલે કાળી માટીના પરમાણુથી બનેલું પાત્ર આગમાં પકાવવાથી લાલ રંગનું થઈ જાય છે. આ વ્યાખ્યા માટે કોઈ નવો સિદ્ધાંત સ્થાપવાની આવશ્યકતા નથી. ભગવતીસૂત્ર, શતક ૭, ઉદ્દેશક ૧૦, સૂત્ર ૨૨૯, ૨૩૦માં અચિત્ત પુદ્ગલો દ્વારા પ્રકાશ, તાપ, ઉદ્યોત કેવી રીતે થઈ શકે છે, એનું સ્પષ્ટ વર્ણન છે – “ભંતે ! શું અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને પ્રકાશિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે? પ્રભાવિત કરે છે?” “કાલોદાયી! ક્રોધી અણગારે તેજોલેશ્યા છોડી. એ દૂર જઈને દૂર દેશમાં પડે છે, નજીક જઈને નજીકના દેશમાં પડે છે. એ જ્યાં જ્યાં પડે છે, ત્યાં ત્યાં એના અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને પ્રકાશિત કરે છે, ઉદ્ઘોષિત કરે છે, તપાવે છે અને પ્રભાવિત કરે છે. આ પ્રમાણે એ અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને પ્રકાશિત કરે છે. ઉદઘોષિત કરે છે તપાવે છે અને પ્રભાવિત કરે છે.” મીમાંસા - ઇંટની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી વગેરે ભઠ્ઠીઓની વચ્ચેની અગ્નિ અને આકાશીય વિદ્યુતની અગ્નિને નિશ્ચયથી સચિત્ત કહી છે. આધુનિક વિજ્ઞાન અનુસાર “અગ્નિ” (કબસ્થન) એટલે “દહન'ની ક્રિયા છે, જેમાં ઑક્સિજન (પ્રાણવાયુ)ની સાથે બળવાની રાસાયણિક પ્રક્રિયા થાય છે, બાકી બધી આની અંદર આવી જાય છે. વ્યવહાર નયમાં બધી સચિત્ત અગ્નિઓમાં આ પ્રક્રિયા દેખાય છે. એથી સ્પષ્ટ થાય છે કે અગ્નિને સચિત્ત રહેવા માટે પ્રાણવાયુથી થનારી ઑક્સિકરણ અથવા બળવાની ક્રિયા (કંબશન)ની એક અનિવાર્ય અપેક્ષા હોય છે. મિશ્ર તેઉકાય-મુર્ખર વગેરેમાં પણ બળતી અગ્નિના તણખા એક બળતા ઘન પદાર્થ છે. મૂળ અંગારાનું જ એ નાનું રૂપ છે. અચિત્ત તેઉકાય - જે પદાર્થ અગ્નિ દ્વારા પાકે છે એટલે કે જે પદાર્થ સચિત્ત તેઉકાયના સાક્ષાત્ સંપર્કથી તૈયાર થાય છે, એ પદાર્થ જ્યાં સુધી અગ્નિકાયના સંપર્કમાં રહે છે, ત્યાં સુધી જ સચિત્ત રહે છે. એ પણ “ઑક્સિજન મળતું હોય, ત્યાં સુધી જ સચિત્ત રહી શકશે. પછી જ્યારે અગ્નિનો સંપર્ક તૂટી જાય ત્યારે અચિત્ત થઈ જશે. સચિત્ત અગ્નિના મૃત શરીરને “મુશ્કેલગા” એટલે અગ્નિ જીવો દ્વારા મુક્ત શરીરના રૂપમાં “અચિત્ત અગ્નિ”ના પુગલના રૂપમાં બતાવવામાં આવ્યો છે. 202 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy