SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ગોળાનો સ્પર્શ વગેરે ન થઈ જાય તે માટે કાળજી રાખવાની સૂચના સાધુ ભગવંતને અપાયેલ છે. પિંડનિર્યુક્તિમાં અત્યંત સ્પષ્ટપણે શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહેલ છે કે રૂપાળવદુમ, વિષ્ણુયાનિચ્છયો' (ગાથા.૩૬) અર્થાત્ ઇંટના ભઠ્ઠીના મધ્ય ભાગમાં નિશ્ચયથી સચિત્ત બાદર તેઉકાય હોય છે. ઓઘનિર્યુક્તિમાં પણ શ્રીભદ્રબાહુસ્વામીજીએ “રૂપાનં વદુમ, વિષ્ણુનારૂ નિષ્ઠો” (ગા.૩૫૯) - આવું જણાવેલ છે. તદનુસાર ગચ્છાચારપયન્નાવ્યાખ્યામાં શ્રીવાનષિગણીએ પણ “દુરપાનિધ્યમાં વઘુવિર નૈરવિવ:” (ગાથા-૭૫) આમ કહીને ઇંટની ભઠ્ઠી વગેરેના મધ્યભાગમાં રહેલો અગ્નિ તથા વીજળી વગેરે નૈૠયિક સચિત્ત અગ્નિકાય જીવ છે. આવું સ્પષ્ટપણે જણાવેલ છે. ‘ફુગાના તિ સા સ્નારી, તત્ય ૫ વાવેરાતો' (૧૬/૧/૬૬૨). આ પ્રમાણે ભગવતીચૂર્ણિના વચન મુજબ “જ્યાં અંગારા કરવામાં આવે ત્યાં વાઉકાય હોય” આ પ્રકારના સિદ્ધાંત અનુસાર તથા ભગવતીસૂત્રમાં “ન વિના વાયુવાપvi મળવા૫૩ઝન' (શતક-૧૬/ઉદેશો-૧/સૂત્ર-૬૬૨) આ પ્રમાણે જણાવ્યા મુજબ “વાયુ વિના અગ્નિ સળગી ન શકે’ આ નિયમ અનુસાર લાલચોળ તપેલા લોખંડના મહાકાય ગોળાના મધ્ય ભાગમાં, ઇંટની ભઠ્ઠીના અંદરના મધ્યભાગમાં, કુંભારના નિભાડાના મધ્ય ભાગમાં અમુક પ્રકારના બાદર વાયુકાયનું અસ્તિત્વ માન્ય કરવું પડશે જ. ત્યાં વાયુકાય કેવી રીતે પહોંચે ? આપણા અનુભવમાં આવતા વાયુઓનો તો દીવાલ વગેરે દ્વારા પ્રતિઘાત/પ્રતિબંધ/અવરોધ થાય છે. તેથી અતિતપ્ત નક્કર લોખંડના મોટા ગોળાના મધ્યભાગમાં તથાવિધ અપ્રતિઘાતી (લોખંડ વગેરે નક્કર ધાતુઓ પણ જેને આવવા-જવામાં અટકાયત-અવરોધ ન કરી શકે તેવા) વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. - સાત લાખ યોનિવાળા વિવિધ વાયુઓના સાપેક્ષભાવે પ્રતિઘાતીઅપ્રતિઘાતી વગેરે પ્રકાર માનવામાં કોઈ આગમવિરોધ આવતો નથી. લાલચોળ તપેલા મોટા લોખંડના નક્કર ગોળામાં કોઈ પણ રીતે લોખંડ દ્વારા જેનો પ્રતિઘાત/અવરોધ ન થઈ શકે તેવા વાયુનો પ્રવેશ થાય તો પોલા બલ્બમાં તથાવિધ અપ્રતિઘાતી વાયુનો પ્રવેશ કેમ ન થાય? જેમ લાલચોળ તપેલા લોખંડના મોટા ગોળાના મધ્ય ભાગમાં, મહાકાય નિભાડાના ઊંડાણવાળા મધ્ય ભાગમાં બાદર વાયુકાયનો પ્રવેશ થઈ શકે છે તેમ પ્રકાશમાન બલ્બના મધ્ય ભાગ સુધી બાદર 198 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy